1. Home
  2. ગુજરાતી
  3. રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન હવે એપ્રિલમાં નહી થાય- જાણો આ કપલ ક્યારે લેશે સાત ફેરા
રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન હવે એપ્રિલમાં નહી થાય-  જાણો આ કપલ ક્યારે લેશે સાત ફેરા

રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન હવે એપ્રિલમાં નહી થાય- જાણો આ કપલ ક્યારે લેશે સાત ફેરા

0
Social Share
  • રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઓક્ટોબરમાં કરશે લગ્ન
  • આ વર્ષના એપ્રિલ મહિનામાં પહેલા  થવાના હતા લગ્ન 

 

મુંબઈઃ- બોલિવૂડમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ચર્ચાઓ જોરશોરમાં ચાલતી હોય છે, આ બન્નેની કેમેસ્ટ્રી દુનિયાથઈ છૂપી નથી, હંમેશા એકબીજા સાથે જોવા મળે છે અને એકબીજાને જાહેરમાં સપોર્ટ કરતા જોવા મળે છે, ત્યારે હવે આ કપલના લગ્ન લંબાયા છે.

રણબીર આલિયા હજુ 2022માં લગ્ન કરશે પરંતુ લગ્નનો મહિનો બદલાઈ ગયો છે.પહેલા એપ્રિલ મહિનામાં લગ્ન કરવાના સમાચાર સામે આવ્યા હતા જો કે હવે ઓક્ટોબરમાં આ કપલ સાતફેરા લેશએ તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે ઘણી પ્રશંસા મેળવી રહી છે. ગંગુબાઈ પછી પણ તેમના ઘણા પ્રોજેક્ટ લાઈનમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય રણબીર કપૂર પણ તેના શૂટિંગમાં વ્યસ્ત છે. ગયા વર્ષે આ કપલ લગ્નના બંધનમાં બંધાવાના હતા પરંતુ કોવિડના કારણે લગ્ન  અટક્યા હતા. તે જ સમયે, સમાચાર આવ્યા કે કપલ એપ્રિલ 2022 માં લગ્ન કરશે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલમાં પણ આ કપલ લગ્ન નહીં કરે.

રિપોર્ટની જો માનીએ તો હવે આ કપલ ઓક્ટોબર 2022માં લગ્ન કરશે. જોકે, લગ્નને લઈને હજુ સુધી કપલ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી રણબીર-આલિયાના લગ્નની તારીખો કેમ પાછળ-પાછળ થઈ રહી છે તે અંગે કોી માહિતી મળી નથી.આ દંપતીનું નવું ઘર, ક્રિષ્ના રાજ, હજી તૈયાર નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code