1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાના કેસો વધતા એરલાઇન્સ, ટુરીઝમ અને ટ્રાવેલિંગ ઉદ્યોગને મરણતોલ ફટકો
કોરોનાના કેસો વધતા એરલાઇન્સ, ટુરીઝમ અને ટ્રાવેલિંગ ઉદ્યોગને મરણતોલ ફટકો

કોરોનાના કેસો વધતા એરલાઇન્સ, ટુરીઝમ અને ટ્રાવેલિંગ ઉદ્યોગને મરણતોલ ફટકો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. બીજીબાજુ ફરીવાર લોકડાઉન તો લાગુ કરવામાં નહીં આવેને એવો લોકોને ડર છે. કોરોનાને લીધે સૌથી વધુ એરલાઈન્સ, ટૂરિઝમ, અને ટ્રાવેલ્સ એજન્સીઓને થઈ રહ્યો છે. કારણ કે, કોરોનાને લીધે છેલ્લા એક સપ્તાહથી એરલાઈન્સના ડોમેસ્ટીક પેસેન્જરોમાં ઘટાડો થયો છે. પુરતા પેસેન્જરો ન મળવાથી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો હવે મહત્વનું કામ ન હોય તો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. તેથી ટ્રાવેલિંગ એજન્સીઓને ફટકો પડ્યો હતો. તેમજ ગુજરાતીઓ હરવા-ફરવાના સૌથી વધુ શોખિન હોવા છતાં કોરોનાને લીધે પ્રવાસ માંડી વાળવા લાગ્યા છે. આથી પ્રવાસન સ્થળો પર જે પહેલા ભીડ જોવા મળતી હતી ત્યાં પ્રવાસીઓ નહીવત જોવા મળી રહ્યા છે. આમ ટુરિઝમ ક્ષેત્રે પણ અસર પડી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ. કોરોનાના કેસ વધતા જ 50 ટકા હવાઈ બુકિંગ રદ થવા લાગ્યા છે અને ટુરિઝમ ઉદ્યોગને પણ મરણતોલ ફટકો પડયો છે. આ અંગે શહેરના એક ટ્રાવેલર્સના કહેવા મુજબ  કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે, હાલ એર ટિકીટો માં 50 ટકા ટિકિટો રદ થવા લાગી છે ઉપરાંત નવા બુકિંગ માં પણ 65થી 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વચ્ચેના સમયગાળામાં બે મહિના સારા ગયા હતા અને એરલાઇન્સ તથા ટૂર- ટુરિઝમ ક્ષેત્રે થોડો સળવળાટ જોવા મળ્યો હતો પરંતુ ત્રીજી લહેર ની શરૂઆત થતાની સાથે જ હવે નાગરિકો કોઈ અગત્યના કામ સિવાય ટ્રાવેલિંગ કરવાનું ટાળી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ટ્રેનોમાં પણ મુસાફરો ઘટવા લાગ્યા છે. બાંદ્રા ભાવનગર ટ્રેન સતત મુસાફરોથી પેક જતી અને આવતી હતી. મહારાષ્ટ્રમાં કૂદકે ને ભૂસકે કોરોનાના વધી રહેલા કેસ ને કારણે બાંદ્રા થી ભાવનગર આવતી ટ્રેનનો ટ્રાફિક પણ અગાઉની સરખામણીએ 50 ટકા જેટલો થઈ ગયો છે. મુંબઈ જતી-આવતી અન્ય ટ્રેનોમાં પણ ટ્રાફિક ઘટી ગયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ઇન્ટરનેશનલ સેવા અનિયમિત છે અને કોરોના ના ડર ને કારણે લોકો પણ વિદેશમાં ટ્રાવેલિંગ કરવાનું ટાળી રહ્યા છે.ઉપરાંત ડોમેસ્ટીક પ્રવાસીઓમાં પણ ઘટાડો થયો છે. ટાળી ન શકાય તેવા કામ હોય ત્યારે જ હવાઈ સેવા નું માધ્યમ પસંદ કરવાનું લોકો યોગ્ય માને છે. આ તમામ ની અસર ગુજરાત ટુરીઝમ ઉપરાંત ટ્રાવેલ્સ એજન્ટ વ્યવસાય પર પણ પડી છે. આવક-જાવકના બે છેડા વચ્ચે સમતોલન જાળવવું તેઓના માટે મુશ્કેલ બની રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code