1. Home
  2. ગુજરાતી
  3. RSS શરૂઆતથી બંધારણ અનુસાર તમામ આરક્ષણોનું સમર્થન કરતું આવ્યું છેઃ મોહન ભાગવત
RSS શરૂઆતથી બંધારણ અનુસાર તમામ આરક્ષણોનું સમર્થન કરતું આવ્યું છેઃ મોહન ભાગવત

RSS શરૂઆતથી બંધારણ અનુસાર તમામ આરક્ષણોનું સમર્થન કરતું આવ્યું છેઃ મોહન ભાગવત

0
Social Share

બેંગ્લોરઃ RSS વડા મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘ પરિવારે ક્યારેય કેટલાક જૂથોને આપવામાં આવેલી અનામતનો વિરોધ કર્યો નથી. હૈદરાબાદની એક શૈક્ષણિક સંસ્થામાં એક કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે, સંઘનું માનવું છે કે આરક્ષણને જરૂર હોય ત્યાં સુધી લંબાવવું જોઈએ.

આરએસએસના વડાએ જણાવ્યું હતું કે, “સંઘ શરૂઆતથી જ બંધારણ મુજબ તમામ આરક્ષણોનું સમર્થન કરી રહ્યું છે પરંતુ કેટલાક લોકો ખોટા વીડિયો સર્ક્યુલેટ કરી રહ્યા છે.” અનામતને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધ વચ્ચે મોહન ભાગવતનું આ નિવેદન આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા ભાગવતે ગયા વર્ષે નાગપુરમાં કહ્યું હતું કે, જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી આરક્ષણ ચાલુ રાખવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ભેદભાવ, અદૃશ્ય હોવા છતાં, સમાજમાં હજુ પણ અસ્તિત્વ ધરાવે છે.

મોહન ભાગવતજીએ કહ્યું હતું કે,  “એક વીડિયો ફરતો કરવામાં આવી રહ્યો છે કે આરએસએસ આરક્ષણની વિરુદ્ધ છે અને અમે તેના વિશે બોલી શકતા નથી. હવે આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. આ અસત્ય અને ખોટું છે. સંઘ શરૂઆતથી બંધારણ અનુસાર તમામ આરક્ષણોનું સમર્થન કરતું આવ્યું છે.

દેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે બે તબક્કામાં 190 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે અને હજુ પાંચ તબક્કા બાકી છે. અગાઉ પણ ઘણી પાર્ટીઓના નેતાઓ ભાજપ અને આરએએસ પર આરોપ લગાવતા રહ્યા છે કે તેઓ અનામત ખતમ કરશે. આ બધાની વચ્ચે હવે ચૂંટણી સમયે અનામતને લઈને એક વીડિયો ફરતો થઈ રહ્યો છે, જેના પર મોહન ભાગવતે સ્પષ્ટીકરણ આપ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code