1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી ભરતી કરાતી નથી અને કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો વહિવટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી ભરતી કરાતી નથી અને કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો વહિવટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી ભરતી કરાતી નથી અને કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો વહિવટ

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહિવટ કરાર આધારિત કર્મચારીઓથી ચલાવવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહીને લીધે નોન ટીચિંગ 54 કર્મચારીઓની ભરતીની સરકારે મંજુરી આપી હોવા છતાયે જગ્યાઓ ભરવામાં આવી નહતી. હવે ભરતી કરવા માટે આપેલી મંજુરીની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં ફરીવાર સરકાર પાસે મંજુરી માગવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  છેલ્લા ઘણા સમયથી અધિકારી-કર્મચારીઓની ભરતી ન થતા કરાર આધારિત કર્મચારીઓથી યુનિવર્સિટીના વહીવટનું ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. એક વર્ષ પહેલા રાજ્ય સરકારે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નોન ટિચિંગની કાયમી 54 જગ્યા પર ભરવાની મંજૂરી આપી હતી, પરંતુ યુનિવર્સિટીએ નિયત સમય મર્યાદામાં કાયમી કર્મચારીઓની ભરતી ન કરતા હવે સત્તાધિશો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ફરી મંજૂરીની મથામણ કરવી પડશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગસ્ટ-2022માં બિન શૈક્ષણિકની પબ્લિકેશન ઓફિસર, ડેટા એન્ટ્રી ઓપરેટર અને કલાર્ક સહિત અલગ-અલગ 32 સંવર્ગની 54 કાયમી જગ્યા પર ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં 54 જગ્યા સામે 4337 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અને ભરતી માટે લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી હતી. જો કે ત્યારબાદ ભરતીમાં વિવાદ સર્જાતા સિન્ડિકેટની બેઠકમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની કાયમી ભરતીની સમગ્ર પ્રક્રિયા જ અટકાવી દેવામાં આવી હતી. આ ભરતી મામલે આજે કાર્યકારી કુલપતિ નીલાંબરી દવેને પૂછતા તેમણે જણાવ્યું કે, એકથી દોઢ વર્ષ પહેલાં બિન શૈક્ષણિક કાયમી કર્મચારીઓની 54 જગ્યા પર ભરતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ નિયત સમયગાળામાં એટલે કે એક વર્ષમાં ભરતી કરવામાં ન આવતા હવે તે જગ્યાઓ સાઇલેન્ટ બની ગઈ છે, એટલે કે હવે નોન ટીચિંગની કાયમી જગ્યાઓ ઉપર ભરતી કરવી હોય તો રાજ્ય સરકારની પુન: મંજૂરી લેવી પડશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિથી લઇને અધિકારીઓ, કર્મીઓ, અધ્યાપકો, સફાઈ કામદારો તેમજ પટ્ટાવાળા કાયમી નથી. જેથી મોટાભાગની જગ્યાઓ પર કોન્ટ્રાક્ટ બેઇઝ પર કર્મચારીઓ અને અધ્યાપકો કામ કરી રહ્યાં છે. યુનિવર્સિટીમાં હાલ બિન શૈક્ષણિક જગ્યાઓની વાત કરીએ તો 60 કાયમી કર્મચારીઓ ઉપરાંત  300થી વધુ કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જેને લઈને યુનિવર્સિટીના વહીવટી સંચાલનમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code