1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશિલ કુમાર સિંદેએ કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે “કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે”
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશિલ કુમાર સિંદેએ કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે “કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે”

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશિલ કુમાર સિંદેએ કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે “કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે”

0
Social Share
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું કોંગ્રેસને લઈને નિવેદન
  • સુશિલ કુમાર સિંદેએ કહી મોટી વાત
  • કહ્યું કે કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે

દિલ્હી : વર્ષ 2014 પછી દેશની રાજનીતિ અને રાજકારણ બંન્ને બદલાઈ ગયું છે. દેશમાં હાલમાં જે સરકાર સત્તામાં છે તેના દ્વારા આજે પણ કેટલાક મહત્વના અને તે કાર્યો કરવામાં આવે છે પરંતુ બીજી તરફ એક વર્ગ એવો પણ છે કે જે આજે પણ કોંગ્રેસને મજબૂત વિપક્ષ માને છે.

કોંગ્રેસ માટે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય સ્તરે અનેક પડકાર ઉભા થયા છે ત્યારે કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા દ્વારા વિવાદીત નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે “કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે”. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને યુપીએ સરકારમાં ગૃહ મંત્રી રહી ચુકેલા સુશીલ કુમાર શિંદેએ પણ પાર્ટી સામે સવાલો ઉઠાવ્યા બાદ હલચલ મચી ગઈ છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ બાદ હવે શિંદે પણ બળવો કરવાની તૈયારીમાં છે કે કેમ તે સવાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાવ માંડ્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની નારાજગી નવી વાત નથી પણ નારાજ નેતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે ગાંધી પરિવાર માટે ચોક્કસ ચિંતાજનક વાત કહી શકાય

શિંદેની નારાજગી એક કાર્યક્રમમાં સામે આવી હતી.કોંગ્રેસના પીઢ નેતાઓનુ સન્માન કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શિંદેએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, એક સમય હતો કે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારા શબ્દોનુ વજન હતું પણ હવે ખબર નથી. કોંગ્રેસ પોતાની વિચારધારાની સંસ્કૃતિ પણ ગુમાવી રહી છે. એક સમય હતો જ્યારે પાર્ટી દ્વારા ચિંતન શિબિર યોજાતી હતી. જેમાં નેતાઓની લોકપ્રિયતા અને જનતા પર કોંગ્રેસના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે સમજવુ મુશ્કેલ છે કે અત્યારે કોંગ્રેસ ક્યાં જઈને ઉભી છે. કોંગ્રેસ દ્વારા પોતાની ભૂલો સુધારવા માટે પહેલા વર્કશોપ પણ યોજાતા હતા.

જો કે મહત્વની વાત એ છે કે આ બાબતે શિવસેનાએ કહ્યુ છે કે, જો સુશિલકુમાર શિંદેએ કંઈક કહ્યું હોય તો પાર્ટીએ તેના પર ચર્ચા કરવી જોઈએ. કારણકે તે કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતાઓ પૈકીના એક છે.

જાણકારો દ્વારા તે પણ અનુમાન લગાવવામાં આવતા રહે છે કે કોંગ્રેસ માટે આવનારો સમય વધારે કપરો બની શકે તેમ છે. કારણ છે કે કોંગ્રેસમાં અંદર અંદર નેતાઓની નારજગી કોંગ્રેસ માટે વધારે મુશ્કેલીઓ ઉભી કરી શકે તેમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code