1. Home
  2. ગુજરાતી
  3. એનસીપી ચીફ શરદ પવારનું હવે એલાન લોકસભાની ચૂંટણી નહીં લડું!
એનસીપી ચીફ શરદ પવારનું હવે એલાન લોકસભાની ચૂંટણી નહીં લડું!

એનસીપી ચીફ શરદ પવારનું હવે એલાન લોકસભાની ચૂંટણી નહીં લડું!

0
Social Share

લોકસભાની ચૂંટણીની તારીખોના એલાનના એક દિવસ બાદ મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ યાદવ લોકસભાની ચૂંટણી નહીં લડે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના પુણેમાં એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન આના સંદર્ભે એલાન કર્યું ચે. મહત્વપૂર્ણ છે કે એનસીપી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહી છે.

મહારાષ્ટ્રના સૌથી કદ્દાવર નેતાઓમાં સામેલ શરદ પવાર હાલ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવાર ગત યુપીએ સરકારમાં કૃષિ મંત્રાલયની સાથે ખાદ્ય અને પીડીએસ, ગ્રાહક મંત્રાલયનો કાર્યભાર પણ સંભાળી ચુક્યા છે.

એનસીપીના ચીફ શરદ પવાર કુલ 14 વખત ચૂંટણી લડી ચુક્યા છે. તેમણે કહ્યુ છે કે મારા પરિવારના બે સદસ્યો આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉબા રહેવાના છે. માટે  હું વિચારું છું કે આ વખતે ચૂંટણી નહીં લડવાનો યોગ્ય સમય છે. તેમણે કહ્યુ છે કે આના પહેલા હું 14 વખત ચૂંટણી લડી ચુક્યો છું.

શરદ પવારની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાતને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે ભાજપ માટે મોટી જીત ગણાવી છે. ફડણવિસે કહ્યુ છે કે આ ભાજપ માટે એક મોટી જીત છે. આ મોદી લહેરનો પુરાવો છે. શરદ પવારે મહસૂસ કર્યું છે કે આ લહેર મોદીના પક્ષમાં છે.

આના પહેલા એનસીપીના નેતાની બેઠકમાં એ વાત સામે આવી હતી કે શરદ પવાર માઢા લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે ઈચ્છુક નથી. રિપોર્ટ મુજબ, માઢા લોકસભા બેઠક પરથી કેટલાક લોકો પવારની વિરુદ્ધ છે. તેવામાં જો તેઓ માઢા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરે છે, તો તેમને ત્યાં પ્રચાર માટે સમય આપવો પડશે. તેના માટે રાજ્યમાં અન્ય ઠેકાણાઓ પર પ્રચાર માટે જવું મુશ્કેલ બની જશે.

પવાર પરિવારમાંથી સુપ્રિયા સુલે અને અજિત પવારના પુત્ર પાર્થ પવાર પહેલા જ એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નિર્ધારીત છે. તેવામાં ચૂંટણી પ્રચારમાં ભાજપને પવાર પર વંશવાદ ચલાવવાનો આરોપ લગાવવાનો મોકો મળે નહીં તેના માટે શરદ પવાર 2019ની લોકસભાની ચૂંટણી લડવાથી દૂર રહેવાનું મુનાસિબ માની રહ્યા હોવાનું માનવામાં આવે છે.

આના પહેલા ઓક્ટોબર-2018માં એનસીપી તરફથી એલાન કરવામાં આવ્યું હતું કે શરદ પવાર 2019ની લોકસભાની ચૂંટણી લડવાના નથી. પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે પુણે લોકસભા બેઠક પરથી પવારના ચૂંટણી લડવાની અટકળબાજી પર વિરામ લગાવી દીધું હતું. તેમણે કહ્યુ હતુ કે શરદ પવારે 2014માં જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડવાના નથી.

એવા પણ અહેવાલો આવ્યા હતા કે એનસીપી લોકસભાની ચૂંટણીમાં આ વખતે પાર્ટીના તમામ મોટા નેતાઓને મેદાનમાં ઉતારવા ચાહે છે. આમ કરવાથી મહારાષ્ટ્રમાં એક મોટો સંકેત જશે અને એનસીપીના વધુમાં વધુ સાંસદ જીતી શકશે.

શરદ પવાર 1991થી 2009 દરમિયાન મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી લોકસભાના સાંસદ રહ્યા છે. 48 લોકસભા બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં 2014ની લોકસભા ચૂંટણીમાં એનસીપી 21 બેઠકો પર ચૂંટણી લડી હતી. પરંતુ માત્ર ચાર બેઠકો પર જ એનસીપીને જીત મળી હતી. 2014માં એનસીપીના સાથીપક્ષ કોંગ્રેસે મહારાષ્ટ્રમાં 26 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર બે બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી.

મીડિયા અહેવાલ મુજબ, 2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપીમાં બેઠકોની વહેંચણી થઈ ચુકી છે. જણાવવામાં આવે છે કે કોંગ્રેસ 26 અને એનસીપી 22 બેઠકો પર ચૂંટણી લડશે. લોકસભા બેઠકોની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર 48 બેઠકો સાથે 80 બેઠકો ધરાવતા યુપી બાદનું બીજું સૌથી મોટું રાજ્ય છે. લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પંચ તરફથી રવિવારે કરવામાં આવેલા એલાન મુજબ, મહારાષ્ટ્રમાં ચાર તબક્કામાં ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્રમાં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ અને 29 એપ્રિલે વોટિંગ થવાનું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code