1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં આટલા લોકો ગુમાવે છે જીવ
ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં આટલા લોકો ગુમાવે છે જીવ

ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં આટલા લોકો ગુમાવે છે જીવ

0
Social Share

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે માર્ગ અકસ્માતો પર ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે જેના કારણે વિશ્વ પરિષદોમાં આ મુદ્દે મોઢુ છુપાવું પડે છે. ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે તેમના મંત્રાલયના તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો ઘટ્યા નથી પરંતુ વધ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “જ્યાં સુધી સમાજનો સાથ નહીં મળે, માનવ વર્તન બદલાશે નહીં અને કાયદાનો ડર નહીં હોય, ત્યાં સુધી માર્ગ અકસ્માતો પર અંકુશ નહીં આવે.” દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને દર વર્ષે આવા અકસ્માતોમાં 1.7 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ગડકરીએ કહ્યું, “આટલા બધા લોકો ન તો યુદ્ધ, કોવિડ કે રમખાણોમાં પણ મૃત્યુ પામતા નથી.

ગડકરીના જણાવ્યા મુજબ, નીતિ આયોગ અહેવાલ અનુસાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા 30 ટકા લોકો જીવનરક્ષક સારવાર ન મળવાને કારણે મૃત્યુ પામે છે. તેમણે કહ્યું, “તેથી સારવાર માટે કેશલેસ સ્કીમ લાવવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવાની સિસ્ટમમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “દુનિયામાં તે દેશનું નામ જ્યાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સરળ છે તે ભારત છે. અમે તેને સુધારી રહ્યા છીએ.” લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સભ્યોને માર્ગ અકસ્માતોને રોકવા માટે પ્રયત્નો કરવા અને સમાજને જાગૃત કરવા માટે કામ કરવા અપીલ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code