1. Home
  2. ગુજરાતી
  3. ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ ઘટશે,મોદી સરકાર લઈ શકે છે મોટા નિર્ણયો
ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ ઘટશે,મોદી સરકાર લઈ શકે છે મોટા નિર્ણયો

ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ ઘટશે,મોદી સરકાર લઈ શકે છે મોટા નિર્ણયો

0
Social Share

દિલ્હી :  લોકસભા ચૂંટણી 2024ને લઈને બ્યુગલ વાગી ગયું છે અને આવી સ્થિતિમાં મોદી સરકાર પણ કમર કસી ગઈ છે. દેશમાં આ સમયે મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે. આવી સ્થિતિમાં મોંઘવારીમાંથી રાહત આપવા માટે મોદી સરકાર મોટા નિર્ણયો લેવાની તૈયારી કરી રહી છે. એવા સમાચાર છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત મળી શકે છે.

મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે. એટલું જ નહીં, મોદી સરકાર ઘઉં પરની આયાત ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને શૂન્ય કરી શકે છે, જેથી દેશમાં સસ્તા ઘઉંની આયાત સુનિશ્ચિત કરી શકાય. આ સિવાય ખાદ્ય તેલ પરની આયાત ડ્યૂટી પણ ઘટાડી શકાય છે.

સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાતરી આપી હતી કે સરકાર મોંઘવારીમાંથી રાહત આપવા માટે તમામ શક્ય પગલાં લેશે. આવી સ્થિતિમાં, પીએમ મોદીના સંબોધન પછી આશા છે કે કેન્દ્ર ટૂંક સમયમાં ઘણા મોટા નિર્ણયો લેશે જેથી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય.

સામાન્ય લોકોને રાહત આપવા માટે કેન્દ્ર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર હાલમાં પેટ્રોલ પર 19.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 15.80 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે. આવી સ્થિતિમાં જો પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઓછો કરવામાં આવે તો સામાન્ય લોકોને મોટી રાહત થશે, જેના કારણે માલસામાનનો ખર્ચ પણ ઓછો થશે.

મોદી સરકાર રશિયાથી ઘઉંની આયાત કરવાનું વિચારી રહી છે. ઘઉંની આયાત પર 40 ટકા ડ્યુટીની જોગવાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર તેને શૂન્ય કરી શકે છે. ખાદ્યતેલ પરની આયાત ડ્યૂટીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર પેટ્રોલ-ડીઝલ, ઘઉં અને ખાદ્યતેલ પર ટેક્સ કાપથી સરકારની આવકમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે. આવી સ્થિતિમાં, સરકાર વિવિધ મંત્રાલયોના બજેટમાં ઘટાડો કરીને તેને પૂર્ણ કરવા પર વિચાર કરી રહી છે જેથી રાજકોષીય ખાધને પહોંચી વળવામાં કોઈ મુશ્કેલી ન પડે.

જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દર 7.44 ટકાના સ્તરે પહોંચી ગયો છે, જે 15 મહિનાની સૌથી ઊંચી સપાટી છે. બીજી તરફ ખાદ્યપદાર્થોનો મોંઘવારી દર 11.51 ટકા રહ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મોંઘવારીનો સામાન્ય માણસને કેટલો ફટકો પડ્યો છે. મોદી સરકાર 2024માં પુનરાગમનની તૈયારી કરી રહી છે, તેવામાં સામાન્ય લોકોના વોટ મેળવવા માટે સરકાર તેમને મોંઘવારીમાંથી રાહત આપવાનું કામ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code