1. Home
  2. ગુજરાતી
  3. મોદી સરકાર સામે વિવાદાસ્પદ નિવેદન કરનારા સોરોસને કોંગ્રેસના નેતાએ આડેહાથ લીધા
મોદી સરકાર સામે વિવાદાસ્પદ નિવેદન કરનારા સોરોસને કોંગ્રેસના નેતાએ આડેહાથ લીધા

મોદી સરકાર સામે વિવાદાસ્પદ નિવેદન કરનારા સોરોસને કોંગ્રેસના નેતાએ આડેહાથ લીધા

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અયોગ્ય ટીપ્પણ કરનાર અરજપતિ જ્યોર્જ સોરોસને ભાજપના નેતાઓ આડેહાથ લીધા હતા. કોંગ્રેસ પણ મોદી સરકારના સમર્થનમાં આવી છે અને જ્યોર્જ સોરોસનું નિવેદનને બાલીશ ગણાવીને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે, પહેલા પણ હું જ્યોર્જ સોરોસના શબ્દો સાથે સહમત ન હતો અને આજે પણ હું તેમની વાત સાથે સહમત નથી.

ચિદમ્બરમે ટ્વીટ કર્યું, “જ્યોર્જ સોરોસે ભૂતકાળમાં જે કહ્યું તેમાંથી હું સહમત ન હતો અને હું હજી પણ તે જે કહે છે તેનાથી હું સહમત નથી, પરંતુ તેમની ટિપ્પણીઓ ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ એક બાલિશ નિવેદન છે.

તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે ભારતની જનતા નક્કી કરશે કે કોણ સરકારમાં રહેશે અને કોણ બહાર રહેશે. “મને નથી લાગતું કે મોદી સરકાર એટલી નબળી છે કે તેને 92 વર્ષના વિદેશી નાગરિકના રેટરિક દ્વારા નીચે લાવવામાં આવશે.” તેમણે કહ્યું. અન્ય એક ટ્વીટમાં ચિદમ્બરમે કહ્યું, “જ્યોર્જ સોરોસને અવગણો અને નૌરીએલ રુબિનીને સાંભળો.” રૂબિનીએ ચેતવણી આપી હતી કે, ભારતમાં મોટા ખાનગી સમૂહોનું વર્ચસ્વ વધી રહ્યું છે, જે સંભવિતપણે સ્પર્ધાને અટકાવી શકે છે.” કોંગ્રેસ નેતાએ કહ્યું, “ઉદારીકરણનો હેતુ એક ખુલ્લી, સ્પર્ધાત્મક અર્થવ્યવસ્થાની શરૂઆત કરવા માટે હતો, મોદી સરકારની નીતિઓએ કુલીનતંત્ર નિર્માણ કર્યું છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code