1. Home
  2. ગુજરાતી
  3. 6 વર્ષના દીકરાને માતાએ આપી અજીબોગરીબ પરવરિશ
6 વર્ષના દીકરાને માતાએ આપી અજીબોગરીબ પરવરિશ

6 વર્ષના દીકરાને માતાએ આપી અજીબોગરીબ પરવરિશ

0
Social Share
  • 6 વર્ષના પુત્રનો કંઇક આ રીતે ઉછેર
  • ઈચ્છે ત્યારે સૂઈ જાય અને ઈચ્છે ત્યારે જાગે
  • માતાએ કહ્યું-દીકરો આત્મનિર્ભર બન્યો છે

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના બાળકોને સારી પરવરિશ સાથે સાથે સારા સંસ્કાર આપે.કહેવાય છે કે જો બાળકોને નાનપણથી જ શાળામાં અને ઘરમાં કંઈપણ શીખવવામાં આવે તો તે શિસ્ત છે.નાનપણથી જ બાળકોના દરેક કામનો સમય નક્કી હોય છે. મતલબ, ક્યારે ભણવું અને ક્યારે રમવું, માતા-પિતા પણ તેમની ઊંઘ પ્રત્યે વધુ જાગૃત હોય છે.જોકે, કેટલાક માતા-પિતાનો મત અલગ છે. તેઓ બાળકો પર કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન લાદતા નથી.આજે અમે તમને ઈંગ્લેન્ડના કેમ્બ્રિજમાં રહેતી એક એવી જ માતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના છ વર્ષના પુત્ર માટે સૂવા અને જાગવા માટે કોઈ નિત્યક્રમ બનાવ્યો નથી.

તમને એ વિચારીને પણ નવાઈ લાગશે કે,જો બાળક યોગ્ય સમયે ઊંઘશે નહીં તો તે સવારે ઉઠીને શાળાની તૈયારી કેવી રીતે કરી શકશે. પરંતુ હૈલે એમ્બ્રોસ નામની મહિલાનું કહેવું છે કે,તે ઇચ્છે છે કે તેનો દીકરો જાતે જ આ વાત સમજે.દાખલા તરીકે, તેણી તેને ભૂલો કરવાની તેમજ તેને સુધારવાની જવાબદારી શીખવી રહી છે.તમને આ વાત અજીબ લાગશે પણ આ સત્ય છે.હેલીનો દીકરો મોડી રાત સુધી જાગતો રહે છે.આ સિવાય તે પોતાના બેડ પર પણ સુતો નથી.

હેરાનીની વાત એ છે કે, તેમ છતાં, હૈલે તેના છ વર્ષના બાળકને એ નહીં કહેતી કે તેના સુવાનો સમય શું છે પરંતુ તેનો પુત્ર પોતે નક્કી કરે છે કે તેણે કેટલા વાગ્યા સુધી સુવું છે.અહેવાલ મુજબ હૈલેનો પુત્ર મોડી રાત સુધી જાગતો રહે છે.આ સિવાય તે બેડ પર સૂવાને બદલે ક્યારેક સોફા પર સૂઈ જાય છે.આ અંગે 34 વર્ષીય હૈલેનું કહેવું છે કે,તે તેના પુત્ર પર કોઈ પ્રતિબંધ લાદવા માંગતી નથી.હૈલેનું કહેવું છે કે,બાળક નર્સરીમાં ગયા પછી પણ ઊંઘતું નહોતું અને ત્યાંના લોકો ઘણી વાર તેની ઊંઘ અંગે ફરિયાદ કરતા હતા.

ઘણા લોકોએ હૈલેને સલાહ આપી છે કે,તેણીએ તેના બાળકનો સૂવાનો સમય રાત્રે 8 વાગ્યા સુધી ઠીક કરવો જોઈએ.જોકે, હૈલેએ આનો અમલ કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેનો દીકરો સવારે બૂમો પાડતો હતો કે,તેને નીંદર આવી રહી છે.એવામાં, તેણે બધું તેના પુત્ર પર છોડી દીધું. હવે તે પોતે જ નક્કી કરે છે કે,તેણે કયા સમયે જાગવું છે અને ક્યારે ઉઠવું છે. હૈલેનો પુત્ર તેની જરૂરિયાત મુજબ ઊંઘે છે અને થાકીને સુવે છે.આનાથી તેનો પુત્ર ઘણો સ્વતંત્ર બન્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code