1. Home
  2. Tag "bharuch"

ભરૂચઃ દરિયાના પાણીનું શુદ્ધિકરણ કરીને ઔદ્યોગિક એકમોને પુરુ પડાશે, દેશના પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ

અમદાવાદઃ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.881 કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 એમ.એલ.ડી.ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર […]

ભરૂચમાં તસ્કરોનો તરખાટઃ બિલ્ડરના ઘરમાંથી લગભગ એક કરોડની ઘરફોડ ચોરી

અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન તસ્કરોએ ભરૂચમાં તસ્કરોએ તરખાડ મચાવીને એક બિલ્ડરના બંધ ઘરના તાળા તોડીને અંદરથી લગભગ એક કરોડની મતાની ચોરી કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં રહેતા જાણીતા બિલ્ડર ધર્મેશ તાપીયાવાલા પરિવાર સાથે ઘરને બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન […]

સહકારી સંસ્થાઓ વિના ગુજરાતના અર્થતંત્રના વિકાસની કલ્પના કરી શકાતી નથીઃ અમિત શાહ

નવી દિલ્હી/અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના ભરૂચ ખાતે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના ‘સહકારી શિક્ષણ ભવન’નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે,  સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના તાલીમ ભવનનું નિર્માણ માત્ર લોકોને શિક્ષિત જ નહીં કરે પરંતુ સહકારી ક્ષેત્રના મૂળભૂત તત્વો, જ્ઞાન અને મહત્વને […]

ભરૂચના દહેજ GIDCમાં એક કંપનીમાં પ્રચંડ સાથે આગ લાગી, એક શ્રમજીવીનું મોત

અમદાવાદઃ ભરૂચમાં દહેજ જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગયો હતો. કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી. જેથી આ ઘટનામાં 20 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં એક શ્રમજીવીનું મોત થયાનું જાણવા મળે છે. દહેજમાં એક મહિનામાં આગની આ પાંચમી ઘટના બનતા જીઆઈડીસીમાં કામ કરતા શ્રમજીવીઓમાં […]

સરકાર નિષ્ઠાપૂર્વક સંકલ્પ સાથે લાભાર્થી સુધી પહોંચે તો અર્થપૂર્ણ પરિણામો પ્રાપ્ત થાયઃ PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના ભરૂચમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઉત્કર્ષ સમારોહ’ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકારની ચાર મુખ્ય યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીને ચિહ્નિત કરે છે, જે જરૂરિયાતમંદોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની મહિલાઓએ PM  મોદીને એક વિશાળ રાખડી અર્પણ […]

પીએમ મોદી આવતીકાલે ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે

ભરૂચમાં આવતીકાલે ‘ઉત્કર્ષ સમારોહ’ યોજાશે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે સંબોધન યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીનો કાર્યક્રમ અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મે 2022ના રોજ સવારે 10:30 વાગ્યે ગુજરાતના ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.આ કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકારની ચાર મુખ્ય યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીને ચિહ્નિત કરશે,જે જરૂરિયાતમંદોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે. વિધવાઓ, વૃદ્ધો અને નિરાધાર નાગરિકોને […]

ભરૂચના આમોદ નજીક ઢાઢર નદીમાં મગરોની સંખ્યા વધતા લોકો નદીકાંઠે જતા પણ ડરી રહ્યા છે

ભરૂચઃ  શહેર નજીક આવેલા આમોદ પાસે ઢાઢર નદીમાં એકસાથે 20 મગરનું ઝુંડ દેખાતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ફફડાટ ફેલાયો છે. ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ગામના રહિશો હવે મગરોના ઝૂંડને જોઈને નદીના કાંઠે જતાં પણ ડર અનુભવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદીના પુલનો એક વીડિયો સોશ્યલ […]

ભાજપની સરકાર પેપેરલીક વિના એકપણ પરીક્ષા પૂર્ણ કરી શકતી નથીઃ કેજરીવાલનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. AAPના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પ્રવાસ વધારી દીધા છે. રવિવારે કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં લોકોને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા […]

ભરૂચ જિલ્લા જેમાંથી મોબાઈલ ફોન અને સીમકાર્ડ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદની મધ્યસ્થ જેલ સહિત રાજ્યની મોટાભાગની જેલોમાં કેદીઓ પાસેથી અવાર-નવાર મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધ મળી આવે છે. દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડાએ એલસીબી અને એસઓજીની સાથે જેલમાં સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. જેમાં મોબાઈલ ફોન, સીમ કાર્ડ, ચાર્જર અને ઈયર બર્ડ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ SP […]

ભરૂચની એક કેમિકલ કંપનીમાં સર્જાઈ દૂર્ઘટનાઃ પાંચ કર્મચારીઓના મૃત્યું

અમદાવાદઃ ગુજરાતના ભરૂચમાં આવેલી એક કેમિકલ કંપનીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં બ્લાસ્ટ બાદ અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે એક વ્યક્તિ લાપતા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ભરૂચના દહેજમાં આવેલી એક કેમિકલ કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code