1. Home
  2. Tag "diarrhea-vomiting"

સુરેન્દ્રનગરમાં ગરમી વધતા ઝાડા-ઊલટીનો વાવર, 10 દિવસમાં 400 કેસ નોંધાયા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે.  વધતી જતી ગરમીને કારણે રોગચાળો પણ વકર્યો છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં ઝાડા-ઉલટી સહિતના 400 જેટલા કેસ નોંધાયા છે. આ આંકડો એક જ હોસ્પિટલનો છે. ખાનગી સહિતની અન્ય હોસ્પિટલોમાં દર્દીઓનો આંકડો ચિંતાજનક હોવાનું જાણવા મળે છે. લોકોને ગરમીથી બચવા બપોરના સમયે કામ વિના […]

અમદાવાદમાં એપ્રિલના પ્રથમ નવ દિવસમાં ઝાડા ઊલટીના 205 અને ટાઇફોઇડના 50 કેસ નોંધાયા

અમદાવાદઃ  શહેરમાં એપ્રિલના પ્રારંભથી દિવસે દિવસે ગરમી વધી રહી છે. સાથે જ પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનામાં માત્ર 9 દિવસમાં ઝાડા ઊલટીના કેસો 205 નોંધાયા છે. કમળા અને ટાઇફોઇડના કેસોમાં પણ વધારો થયો છે. પાણીજન્ય રોગચાળો વકરતા શહેરના પૂર્વ વિસ્તારના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમા 77 જેટલા […]

રાજકોટમાં રોગચાળો વકર્યો : તાવ,શરદી,ઉધરસ,ઝાડા,ઉલટીના કેસ નોંધાયા

ઉનાળાની ઋતુમાં રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો એક સપ્તાહમાં શરદી-ઉધરસના 189  કેસ નોંધાયા તાવના 91 અને ઝાડા–ઉલટીના 82 કેસ દાખલ મનપા દ્વારા 16,541 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ રાજકોટ:હાલ ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આકરા તાપને લઈને પણ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આકરી ગરમીને લઈને ઝાડા-ઉલટી અને શરદી-ઉધરસના કેસ નોંધાયા છે. રાજકોટમાં એક […]

કલોલના પૂર્વ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ઝાડા-ઊલટીના વધુ 88 કેસ નોંધાયા

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ શહેરમાં  રોગચાળાએ માથું ઉચક્યું છે. સતત બીજા દિવસે પણ ઝાડા-ઊલટી ના વધુ 88 કેસ નોંધાયા હતા.જેમાં 88 દર્દીઓમાંથી 14 દર્દીઓને સારવાર માટે ખસેડાયા હતા. મોડે મોડે જાગેલા તંત્રએ ડ્રેનેજની કામગીરી શરૂ કરી છે. ઉપરાંત આરોગ્ય વિભાગની 30 ટીમો બનાવીને ઘરે ઘરે સર્વે શરુ કરવામાં આવ્યો છે. કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં તેજાનંદ સહિત અનેક સોસાયટીમાં […]

રાજકોટના વોર્ડ-12માં પ્રદુષિત પાણીને લીધે રાગચાળો, 50ને ઝાડા-ઊલટી

રાજકોટઃ શહેરના વોર્ડ-12માં તંત્રના વાંકે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના મેયર ડૉ.પ્રદીપ ડવના મત વિસ્તાર વોર્ડ નં.12ના પુનિતનગરમાં ચાલી રહેલા રસ્તાકામના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ભૂગર્ભ ગટરની લાઈન તૂટી જતાં તેના કારણે ગંદૂ પાણી પીવાના પાણી સાથે ભળી ગયું હતું. પ્રદૂષિત પાણી પીવાને કારણે આજે આ વિસ્તારમાં આવેલા ‘અવસર’ એપાર્ટમેન્ટના 38 તેમજ અન્ય ટેનામેન્ટમાં રહેતાં 12 […]

અમદાવાદમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઝાડા-ઊલટી અને ટાઈફોડના વધુ કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુંને કારણે વાયરલ કેસમાં વધારો થયો છે. સરકારી અને ખાનગી દવાખાના પર લોકોની લાઈનો જોવા મળી રહી છે. ઉપરાંત શહેરમાં પ્રદૂષિત પાણી અંગેની વધતી જતી ફરિયાદોની વચ્ચે વર્ષ-2020માં ડિસેમ્બર અંત સુધીમાં પાણીજન્ય રોગના નોંધાયેલા કેસ કરતા પણ વધુ આ વર્ષે 20 નવેમ્બર સુધીમાં નોંધાવા પામ્યા છે. […]

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સપ્તાહમાં ઝાડા-ઊલટી, ટાઈફોડના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઊલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. શહેરમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા હતા. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ […]

અમદાવાદમાં સામાન્ય તાવ, શરદી-ઉધરસ તથા ઝાડા-ઉલટીનો વાવર

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ પ્રતિદિન 5000થી વધુ નોંધાઈ રહ્યા છે. કોરોના ઉપરાંત શહેરમાં તાવ, શરદી, ઉધરસ, અને ઝાડા-ઊલટીનો પણ વાવર હોય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કારણકે, કોરોનાના લીધે મોટાભાગના ખાનગી દવાખાના બંધ છે. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો કોવિડ જાહેર કરી હોવાથી અન્ય દર્દીઓ સારવાર લેવા માટે ડર અનુભવી રહ્યા છે. કોરોના વાયરસની બીજી કહેર ઘાતક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code