1. Home
  2. Tag "Indian Culture"

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ યોજાયો, ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત

વેરાવળ, 20 જાન્યુઆરી, 2026 – Shri Somnath Sanskrit University 18th convocation શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ આજે 20 જાન્યુઆરીને મંગળવારે યોજાયો હતો. આ સમારંભમાં ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પદવીદાન સમારોહ રાજેન્દ્રભુવન રોડ પર આવેલા યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ૨૫ સુવર્ણ પદક અને ૦૬ રજત પદક […]

સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નહીં : નિતિન ગડકરી

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025: Secularism કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના બિનસાંપ્રદાયિકતાના ખોટા ખ્યાલ અને વોટબેંકની રાજનીતિને કારણે દેશ આજે પણ ‘હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ’ નો સામનો કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘સેક્યુલર’ શબ્દનો અર્થ ‘ધર્મનિરપેક્ષ’ નહીં પરંતુ ‘સર્વધર્મ સમભાવ’ થાય છે. દિલ્હીમાં ઉદય માહુરકર દ્વારા […]

અમર સાંસ્કૃતિક વારસાની ઉજવણી સમાન ભારતકૂલ અધ્યાય–2નો શુક્રવારે સવારે પ્રારંભ

12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજનાર ભારતના ભાવ, રાગ અને તાલના આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે ઉદ્દઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રહ્મવિહારી સ્વામીની વિશેષ ઉપસ્થિતિ ગુજરાત મીડિયા ક્લબ આયોજિત આ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણો અમદાવાદ, 11 ડિસેમ્બર, 2025: Bharatkool Chapter 2  ભારતકૂલ, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ધર્મના શાશ્વત […]

ભારતીય ભાષાઓ સંસ્કૃતિનો આત્મા છે અને ભારતીય સંસ્કૃતિ ભારતનો આત્મા છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય ભાષા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજભાષા સચિવ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ભાષા વિભાગની સ્થાપના સાથે, રાજભાષા વિભાગ એક સંપૂર્ણ વિભાગ […]

સહકાર એ ભારતીય સંસ્કૃતિનો આધાર છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વૈશ્વિક સહકારી સમિટ 2024 અને સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 ની શરૂઆત કરી હતી. તેમણે સહકારી ચળવળ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી. ઈન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સની ગ્લોબલ કોન્ફરન્સ ભારતમાં પ્રથમ વખત આયોજિત થઈ રહી છે. વિશ્વાસ વ્યક્ત કરતા […]

હેન્ડલૂમ ભારતીય સંસ્કૃતિને મૂર્તિમંત બનાવે છે, તેને ફેશન ડિઝાઇનિંગ સાથે જોડવાની જરૂર છેઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાથવણાટનાં ઉત્પાદનો પ્રધાનમંત્રીની ‘બી વોકલ ફોર લોકલ’ પહેલનો મુખ્ય ઘટક છે તથા તેમણે ‘સ્વદેશી આંદોલન’ની સાચી ભાવના સાથે હેન્ડલૂમને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત 10માં રાષ્ટ્રીય હાથવણાટ દિવસને સંબોધન કરતાં તેમણે આર્થિક રાષ્ટ્રવાદને આપણી કરોડરજ્જુની આર્થિક વૃદ્ધિ અને આર્થિક સ્વતંત્રતા માટે […]

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલઃ ભારતીય સંસ્કૃતિ, ખાનપાન અને સિનેમાનું પ્રદર્શન કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ સિનેમાની સૌથી ભવ્ય ઉજવણી, 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત બે દિવસ પહેલા દસ દિવસના મહોત્સવ સાથે થઈ હતી, જ્યાં કન્ટેન્ટ અને ગ્લેમરનો સમન્વય થાય છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ સંજય જાજુએ હાલ ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફ્રેન્ચ રિવેરામાં ભારતીય સિનેમાની સાથે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, ખાનપાન અને હસ્તકળાની ઉજવણી કરવા માટે સૌપ્રથમ ભારત પર્વ […]

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને માનવ જીવનનો અભિન્ન અંગ માનવામાં આવે છેઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઈફ નામની પૂર્વ-P20 સમિટ શરૂ થઈ છે. G20 સભ્યો અને આમંત્રિત દેશોની સંસદના અધ્યક્ષ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમાં કુદરત સાથે સુમેળમાં હરિયાળા અને ટકાઉ ભાવિ તરફની પહેલ અંગે વિચારણા કરવામાં આવશે.ભારતના G20 પ્રેસિડેન્સીના વિષય વસ્તુને અનુરૂપ, 9મી P20 સમિટની વિષય વસ્તુ એક પૃથ્વી, એક […]

ભારતીય સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શો અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “અંગદાન મહોત્સવ”નો અમદાવાદ થી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, કીડીને કણ, હાથીને મણ‘ ની આપણી સંસ્કૃતિ રહી છે. એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનો ભાવ પણ આપણામાં રહેલો છે. જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત એકમ, SOTTO(State Organ Tissue and Transplant Organisation) અને ગુજરાત મીડિયા ક્લબના […]

ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી ઐતિહાસિક ધરોહરને નિહાળો…

નવી દિલ્હીઃ દેશમાં તાજમહેલ, લાલકિલ્લો અને કુતુબમિનાર જેટલી આંગળીના વેઢે ગણી શકાય તેવી જગ્યાઓને યાદ રાખીને લોકો ગર્વ અનુભવે છે, પરંતુ દેશમાં અનેક એવી ઐતિહાસિક જગ્યાઓ છે જેને જોઈને હકીકતમાં આપણને ભારતીય હોવાનું ગૌરવ થાય છે. દેશમાં ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી આ ઐતિહાસિક ધરાહરની ભારતીય કલાકૃતિની  કેટલીક તસ્વીર નિહાળીએ…         (Photo-social media) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code