1. Home
  2. Tag "opposition"

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર પે એન્ડ પાર્કિંગનો પરવાનો અપાતા લોકોએ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપી દેવાતા હોય છે. ત્યારે શહેરના બાપુનગર ભીડભંજન રોડ પર  એએમસી દ્વારા પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાતા સ્થાનિક વેપારીઓ અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બાપુનગરમાં ભીડભંજન રોડ જે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રોડ ગણાય છે. ત્યારે ત્યાં ઓન રોડ પે […]

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર વિપક્ષને ઘેરવાની ભાજપાએ બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકરે સ્વીકારી લીધો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ તકનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ પર નિશાન સાધશે. ભાજપાએ વિપક્ષને પોતાના હથિયારથી હરાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. માનવામાં આવે છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી સપ્તાહે ચર્ચા થશે. જેથી ભાજપ વિપક્ષ સામે […]

રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ મામલે ચર્ચા કરવાનો વિપક્ષને સ્મૃતિ ઈરાનીનો પડકાર

નવી દિલ્હીઃ મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ સતત વધી રહી છે અને વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધી છે. વિપક્ષ સતત મણિપુર મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યો છે અને હંગામો મચાવી રહ્યો છે. બુધવારે વિપક્ષના હંગામા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યાં હતા […]

ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુઝાહીદ્દીનના નામમાં પણ INDIA: વિપક્ષ ઉપર PMના પ્રહાર

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે લોકસભા અને રાજ્યસભાના ચોમાસા સત્રમાં વિપક્ષ દ્વારા સતત હંગામો મચાવવામાં આવી રહ્યો છે. દરમિયાન ભાજપાએ સંસદીય દળની બેઠક બોલાવી હતી. આ બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ વિપક્ષી એકતાના ગઠબંધનના નામ I.N.D.I.A મામલે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઈન્ડિયા નામ […]

ચોમાસુ સત્રઃ લોકસભા અને રાજ્યસભામાં મણિપુરની હિંસાના મામલે વિપક્ષે હંગામો મચાવ્યો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુરની ઘટનાના પડઘા પડ્યાં હતા. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હંગામો કર્યો હતો. જેથી બંને ગૃહો શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. આજે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ લીધા હતા. […]

નવા સંસદભવન અંગે NCP ના નેતા શરદ પવારના વિરોધ વચ્ચે અજિત પવારે વિપક્ષને આપ્યો આંચકો

મુંબઈઃ નવા સંસદભવનની ઈમારતના ઉદઘાટનનો કોંગ્રેસ સહિત 21થી વધારે વિપક્ષી દળોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારનો પણ સમાવેશ થાય છે. શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા અજિત પવારે વિપક્ષને આંચકો આપીને નવા સંસદભવનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ દેશને નવા સંસદ ભવનની જરુર હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. અનેક […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ માયાવતીએ વિપક્ષને આપ્યો ઝટકો, કેન્દ્ર સરકારને સમર્થન

નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો […]

સંસદ ભવનના લોકાર્પણ સમારોહનો વિપક્ષો દ્વારા બહિષ્કાર એ લોકતાંત્રિક મૂલ્યો પરનો હુમલો છે, C M

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન કાર્યક્રમમાં જણાવ્યું કે, નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહના 19 વિપક્ષી દળો દ્વારા બહિષ્કારનો નિર્ણય નિંદનીય છે. વિરોધ પક્ષોનું આ પગલું લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હુમલો છે. તા. 28-05-2023ના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ નિશ્ચિત છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સંસદ […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ BJP સહિત 16 પક્ષોનું સમર્થન, કોંગ્રેસ સહિત 21 પક્ષોનો વિરોધ

નવી દિલ્હીઃ નવા લોકસભા ભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રને લઈને વિવાદ વકર્યો છે. કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષોએ લોકસભા ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી ઉદઘાટન કરે તેવી માંગણી કરી રહ્યાં છે. જ્યારે ભાજપ સહિત 16 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. આમ રાજકીય પક્ષો બે ભાગમાં વેચાઈ […]

નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ સહિતના વિપક્ષ બહિષ્કાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ દેશની નવી સંસદ તૈયાર થઈ ગઈ છે અને પીએમ નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના છે. દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો હતો કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા શા માટે કરવામાં આવી રહ્યું છે. રાહુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code