1. Home
  2. Tag "Report"

અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણના મામલે રિપોર્ટ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. મ્યુનિ. કોર્પોરેશન તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, શાંતિગ્રામ રહેણાક વિસ્તાર નજીક પ્રદૂષિત પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બનાવવા દરખાસ્ત આવી […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓના સર્વેની કામગીરી પૂર્ણ, રિપોર્ટ યોગી સરકારને સોંપાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિપક્ષના વિરોધ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર તંત્ર દ્વારા મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વેનો રિપોર્ટ 10મી ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને તથા 25મી ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે. સરકાર દ્વારા માંગવામાં આવેલા 11-પોઇન્ટના સર્વે રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ છે. જયારે બીજી […]

વિશ્વના 34.50 કરોડ લોકો પર ભૂખમરાનો ખતરો,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી:યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્યવાહક નિર્દેશક ડેવિડ બીસલીએ ગુરુવારે ચેતવણી આપી હતી કે,વિશ્વ “અભૂતપૂર્વ તીવ્રતાની વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ”નો સામનો કરી રહ્યું છે, જેમાં 34.50 મિલિયન લોકો ભૂખમરા તરફ આગળ વધી રહ્યા છે અને યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધીમાં 7 કરોડ વધુ લોકો પર ભૂખમરાનો ખતરો મંડરાતો રહેશે.બેસ્લીએ યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે,જે […]

દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO: રિપોર્ટ

મુંબઈ: દેશમાં જે રીતે શેર માર્કેટ આગળ વધી રહ્યું છે તેને લઈને હવે લોકો શેરમાર્કેટમાં રૂપિયા વધારે રોકલા લાગ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં શેર્સમાં રોકાણ કરનાર વર્ગની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લોકો શેરમાર્કેટને અત્યારે પોતાની એક્સ્ટ્રા ઈન્કમ તરીકે પણ જોઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં રોકાણ પણ કરી રહ્યા છે. આવામાં […]

તમિલનાડુઃ પૂર્વ CM જયલલિતાના નિધન અંગે તપાસનો અહેવાલ પંચે સુપ્રત કર્યો

બેંગ્લોરઃ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાના મૃત્યુ સાથે સંબંધિત તપાસનો અહેવાલ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુની ન્યાયીક તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામીની આગેવાનીમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તપાસ પૂર્ણ કરીને 590 પાનાનો અહેવાલ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનને સીલબંધ કવરમાં સોંપ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક સવાલો ઉભા થયા હતા. […]

નીતિશ કુમારની સરકારના મંત્રીમંડળમાં અનેક મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છેઃ રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી સહિતના પક્ષોની મદદથી નવેસરથી સરકાર બનાવી છે. તેમજ તાજેતરમાં જ મુખ્યમંત્રી પદે નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી પદ્દે તેજસ્વી યાદવે શપથ લીધા હતા. દરમિયાન બિહાર સરકારના નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓ પૈકી 72 ટકા મંત્રીઓએ પોતાના વિરુદ્ધ ક્રિમિનલ કેસો જાહેર કર્યાં છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ […]

શ્રીલંકાની જેમ દુનિયાના 69 દેશ વિવિધ સમસ્યાનો કરી રહ્યાં છે સામનો, અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્‍હી : ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. પડોશી પહેલો સંબંધી યોજના હેઠળ ભારત શ્રીલંકાને ઈંધણ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની મદદ કરી રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડાર નહીં હોવાથી શ્રીલંકાનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે, પરંતુ દુનિયામાં એક માત્ર શ્રીલંકા નથી જે નાદાર થયું હોય. દુનિયાના લગભગ 69 જેટલા દેશો પણ […]

સ્ટેટસ અપડેટ કરવાને લઈને વોટ્સએપમાં થઈ શકે છે બદલાવ: રિપોર્ટ

વોટ્સએપમાં જોવા મળી શકે છે બદલાવ સ્ટેટસ અપડેશનમાં જોવા મળી શકે છે ફેરફાર જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી વોટ્સએપ દ્વારા હંમેશા કોઈને કોઈ પ્રકારે બદલાવ કર્યા રાખવામાં આવતું હોય છે. કંપની દ્વારો રોજ અનેક પ્રકારના ફેરફાર કરવા પર કામ કરવામાં આવતું હોય છે ત્યારે હવે રિપોર્ટ અનુસાર વોટ્સએપ કંપની દ્વારા હવે સ્ટેટસના અપડેશનમાં ફેરફાર થઈ […]

રાજકોટ પોલીસ તોડકાંડઃ સીટનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો, હવે રિપોર્ટને આધારે પગલા ભરાશે

રાજકોટઃ  શહેરનો ભારે ચર્ચાસ્પદ અને ટોક ઓફ સ્ટેટ બની ગયેલો રાજકોટ પોલીસના તોડકાંડ મામલે સત્તાધારી ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ ગૃહ વિભાગે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળના સીટને તપાસ સોંપી હતી, આક્ષેપિતો અને ફરિયાદીના નિવેદનો પૂરા થયા બાદ આ મામલે DGP વિકાસ સહાયે દસ્તાવેજી પુરાવા પુરાવા સાથે 200 પાનાનો રિપોર્ટ પોલીસવડા આશિષ ભાટિયાને સોંપ્યો છે. હવે […]

પશ્ચિમ બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગયા મહિનામાં થયેલા ટ્રેન અકસ્માતમાં રેલવે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. 13 જાન્યુઆરીએ, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. લગભગ એક મહિના બાદ તે અકસ્માતની તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code