1. Home
  2. Tag "Tourists"

ડીઝલના ભાવ વધવાથી ખાનગી બસના ભાડાંમાં વધારો થતાં પ્રવાસીઓ ST બસ તરફ વળ્યાં

ભુજ : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારા બાદ ખાનગી ટ્રાવેલ્સની બસના ભાડાંમાં પણ વધારો કરી દેવાયો છે, પણ ગુજરાત એસટીના ભાડામાં હજુ વધારો કરાયો નથી. કચ્છ જિલ્લા અને જિલ્લા બહાર દોડતી ખાનગી બસના સંચાલકોએ  ભાડાં વધારતાં પ્રવાસીઓ એસ.ટી. તરફ વળી રહ્યા છે. ડીઝલના ભાવો વધતાં ખાનગી બસ સંચાલકોએ 30થી 150 ટકા જેટલું ભાડું વધારી દીધુ છે, […]

ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પણ રણમાં હજુ પાણી ભરાયેલા

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં જોવા મળતા દુર્લભ ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. આજે 16 ઓક્ટોબરથી ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. પણ રણમાં હજી વરસાદી પાણી અને કાદચ કીચડ જોવા મળતા એની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળશે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા […]

ભારતમાં સામાન્ય વિમાનમાં આવતા પ્રવાસીઓને પણ 15મી નવેમ્બરથી મળશે વિઝા

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે અનેક નિયણંત્રો લાદવામાં આવ્યાં હતા. જો કે, હવે સંક્રમણમાં સતત ઘટાડો થતા નિયંત્રણો ઓછા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સામાન્ય વિમાનોમાં આવતા પ્રવાસીઓને 15મી નવેમ્બરથી વિઝા આપવામાં આવશે. જો કે, આ પ્રવાસીઓ પ્રાપ્ત માહિતી અનુસાર ભારત 15 એક્ટોબરથી પ્રવાસી વિઝા જાહેર કરશે. ચાર્ટડ પ્લેન સહિત ફ્લાઇટમાં ભારત આવનાર વિદેશી મુસાફરોને […]

પર્યટકો માટે ખુશખબર, હવે વિશ્વના સૌથી ઉંચા યુદ્વક્ષેત્ર સિયાચીનના બેઝ કેમ્પ સુધી જઇ શકશે

દેશભરના પર્યટકો માટે ખુશખબર વિશ્વના સૌથી ઉંચા યુદ્વક્ષેત્ર સિયાચીનની મુલાકાત કરી શકશે પર્યટકો પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે આ પગલું લેવાયું નવી દિલ્હી: દેશભરના પર્યટકો માટે ખુશ ખબર છે. હવે તેઓ વિશ્વના સૌથી ઉંચા યુદ્વ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પ સુધી જઇ શકશે. જો કે સુરક્ષા કારણોસર વિદેશી પર્યટકોને મંજૂરી આપવામાં આવી નથી. વિશ્વ પર્યટન […]

યુકે જતાં મુસાફરોને 10 દિવસ હોમ કોરેન્ટાઈનના નિયમથી પ્રવાસીઓને વધુ મુશ્કેલી પડશે

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ દેશથી વિદેશ જતાં મુસાફરો માટે હજુ પણ કેટલાક દેશોએ કડક નિયંત્રણો લાદેલા છે. ઇંગ્લેન્ડ સરકારે ભારત સહિત દુનિયાના ચોક્કસ દેશમાંથી આવતા મુસાફરોએ કોરોનાની બન્ને વેક્સિન લીધી હોય તેમ છતાં તેમને  10 દિવસ હોમ કોરેન્ટાઇન રહેવાનું ફરજિયાત કર્યું છે. કોરેન્ટાઇન બાદ કોરોનાના ટેસ્ટ કરાવ્યા બાદ જ જે-તે મુસાફર […]

પોળોના જંગલમાં પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ અને એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતા એજન્ટો સામે તવાઈ

હિંમતનગરઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલા પ્રખ્યાત પોળોના જંગલોમાં એન્ટ્રી ફી અને પાકિગ ફીના  નામે પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પડાવતા એજન્ટો અને દલાલોનો પર્દાફાશ કરી જિલ્લા કલેકટરે એવી જાહેરાત કરી છે કે પોળોના જંગલોમાં જવા માટે કોઇપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. સાબરકાંઠાના  વિજયનગર સ્થિત રમણીય કુદરતી સાનિધ્યમાં પોળોના જંગલોમાં પુરાતત્વ વિભાગ હસ્તકના એવા મંદિરો […]

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ વધીઃ ડોમેસ્ટીક પ્રવાસીઓનો 50 ટકાનો વધારો

અમદાવાદઃ  કોરોનાનો બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. અમદાવાદ જેવા મેગાસિટીમાં હવે રોજના માત્ર કોરોનાના બે કેસ જ નોંધાય રહ્યા છે. જનજીવન પણ રાબેતા મુજબનું બની જતા જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.  ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર જૂનમાં 2.23 લાખ […]

સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને ગીર અભ્યારણ્યમાં હવે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

જુનાગઢઃ રાજ્યમાં સિંહની વસતીમાં વધારો થયો છે. એશિયાટિક લાયનને નિહાળવા માટે અસંખ્ય પ્રવાસીઓ સિંહ અભ્યારણ્યની મુલાકાતે આવતા હોય છે. રાજય સરકાર હવે સિંહ અભ્યારણને વધુ સુરક્ષિત કરવાની સાથે સહેલાણીઓ માટે પણ વધુ સારી સુવિધા તથા સિંહ સહિતના પ્રાણીઓને નિહાળવા માટેની ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે. રાજયના પ્રવાસન વિભાગ તથા વાઈલ્ડ લાઈફ ઓથોરીટી દ્વારા સંયુક્ત રૂપે […]

કચ્છમાં મોરલાઓનું નવું સ્થળ: અહીં 1000થી વધુ મોર એક સાથે વિચરે છે

નખત્રાણા : રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરનું કચ્છમાં એક નવુ ડેસ્ટીનેશન મળી આવ્યું છે, આ એક એવું સ્થળ છે, કે તેનું વાતાવરણ માફક આવી જતાં અને સલામતી હોવાથી એક હજારથી વધુ મોરલાઓ જોવા મળી રહ્યા છે. મોરના ટેંહુક..ટેહુંકના અવાજથી આ વિસ્તારમાં એક અનોકો નજારો જોવા મળી રહ્યો છે. આ સ્થળ છે, કચ્છનો ધીણોધર ડુંગર, મોરલાઓની નવી […]

પાવાગઢઃ રોપ-વેના ભાડામાં કરાયો વધારો, હવે રોપ-વેમાં બેસવા ખિસ્સામાંથી 170 ખર્ચવા પડશે

વડોદરા :  રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ,  ગિરનાર  અને અંબાજીના ગબ્બર ખાતે રોપ વેની સુવિધા છે. ગિરનાર ખાતે રોપ વે ની સુવિધા ગત વર્ષે જ શરૂ કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમયે ગિરનાર રોપ વેના ભાડાને લઈને વિરોધ ઉઠ્યો હતો. જે બાદમાં રોપ વેનું સંચાલન કરતી કંપની તરફથી ભાડામાં નજીવો ઘટાડો કરાયો હતો. હવે પાવાગઢ ખાતે રોપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code