1. Home
  2. Tag "violence"

મણિપુરમાં ફરી હિંસા અને આગજની,બિષ્ણુપુરમાં મેઇતી સમુદાયના ત્રણ લોકોની હત્યા

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાત્રે મેઇતી સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય બદમાશોએ ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી. બિષ્ણુપુર પોલીસે જણાવ્યું કે મેઇતી સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરોને આગ ચાંપવામાં આવી છે. પોલીસ સૂત્રોનું […]

મણિપુરમાં ફરી ભડકી હિંસા,બે જૂથો વચ્ચે થયો ગોળીબાર,ઘરો અને શાળાઓ સળગાવી

ઇમ્ફાલ:  મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. બિષ્ણુપુર જિલ્લામાં શનિવારે મોડી સાંજે બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. મહિલાઓએ રસ્તા રોક્યા અને ટાયરો સળગાવી દીધા. મીડિયા અહેવાલો અનુસાર કુકી સમુદાયના સોથી વધુ લોકોએ બિષ્ણુપુર જિલ્લાના ટ્રોબુંગ ગ્રામ પંચાયતમાં મેઇતી સમુદાયના કેટલાક ઘરો અને એક શાળાને સળગાવી દીધી હતી. સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને […]

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લિલતા અને હિંસા ઉપર કાતર ફરશે

નવી દિલ્હીઃ ભારતમાં આવનારા દિવસોમાં OTT પ્લેટફોર્મને અપલોડ કરેલી સામગ્રીમાં રહેલી અશ્લીલતા અને હિંસા પર કાતરનો ઉપયોગ કરવો પડી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત સરકારે OTT કંપનીઓને જાણ કરી છે કે તેમની સામગ્રીને ઓનલાઈન લેતા પહેલા અશ્લીલતા અને હિંસા માટે સ્વતંત્ર પરીક્ષણમાંથી પસાર થવું જોઈએ. રિપોર્ટ અનુસાર, ઓટીટી અથવા સ્ટ્રીમિંગ કંપનીઓની 20 જૂને સૂચના […]

મણિપુરમાં હિંસા વચ્ચે ટોળાએ IRB કેમ્પ પર કર્યો હુમલો,જવાબી કાર્યવાહીમાં એક યુવકનું મોત,એક જવાન ઘાયલ

ઇમ્ફાલ : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મંગળવારે થૌબલ જિલ્લામાં પણ અથડામણ જોવા મળી હતી. જ્યાં ટોળાએ કથિત રીતે ભારતીય રિઝર્વ ફોર્સ (IRB)ના કેમ્પમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ભીડને રોકવા માટે સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો, જેમાં 27 વર્ષીય યુવકનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ટોળાએ શસ્ત્રો અને દારૂગોળો […]

ફ્રાંસની હિંસા એ તૃષ્ટીકરણની રાજનીતિ કરતા દેશો માટે લાલબત્તી સમાન !

નવી દિલ્હીઃ ફ્રાંસમાં 17 વર્ષના કિશોરના મૃત્યુ બાદ પરિસ્થિતિ વણસી છે, એટલું જ નહીં દેખાવકારો એટલે કે કટ્ટરપંથીઓ જાહેર સ્થળો ઉપર તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપી રહ્યાં છે. જેથી ફ્રાંસમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હોવાનું દુનિયાના કેટલાક દેશો માની રહ્યાં છે. દરમિયાન ઈમામ તૌહીદએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ફ્રાંસે આ મુસ્લિમ […]

મણિપુરમાં નથી અટકી રહી હિંસા,ભાજપ કાર્યાલયોમાં તોડફોડ,પોલીસ સ્ટેશનો પર ગોળીબાર

ઇમ્ફાલ : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જણાવવામાં આવ્યું છે કે મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ગઈકાલે રાત્રે અત્યાધુનિક હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉગ્રવાદીઓએ લાંગોલ વિસ્તારમાં એક મકાનને પણ આગ લગાવી દીધી હતી. રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાંથી તોડફોડ અને આગચંપીના અહેવાલો આવી રહ્યા છે. પરિસ્થિતિને જોતા આર્મી, આસામ રાઇફલ્સ, રેપિડ એક્શન ફોર્સ અને […]

મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, તોફાનીઓએ ચાર મકાનોને આગ ચાંપી

નવી દિલ્હીઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં સોમવારે બપોરે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અજાણ્યા તત્વો દ્વારા ચાર મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સેના, આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક […]

આસામ-મેઘાલય બોર્ડર પર હિંસાઃ હવે ફોરેસ્ટ ઓફિસમાં તોડફોડ 

રાંચી:આસામ-મેઘાલય બોર્ડર પર ફરી એકવાર હિંસા ફાટી નીકળવાના સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓએ આજે ​​દાવો કર્યો છે કે,મેઘાલયના ગ્રામવાસીઓના એક જૂથે આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં વન કાર્યાલયમાં તોડફોડ કરી અને આગ લગાડી છે.ગઈ કાલે પોલીસ અને ગ્રામવાસીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ લોકોના મોત થયા હતા. મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના મુકરોહ ગામના રહેવાસીઓ મંગળવારે […]

દેશમાં નુપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે થયેલી હિંસામાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ મહંમદ પૈગમ્બર વિશે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરો-નગરોમાં લઘુમતી કોમના લોકોએ દેખાયો કર્યા હતા. આ દરમિયાન અનેક સ્થળો ઉપર હિંસાના બનાવો સામે આવ્યાં હતા. હિંસાના બનાવોમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. દરમિયાન હવે હિંસાના બનાવોમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. […]

દેશના વિવિધ શહેરોમાં હિંસાના બનાવોથી નારાજ સંત સમાજ ધર્મની રક્ષા માટે રસ્તા ઉપર ઉતરશે

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના વિવાદીત નિવેદન બાદ દેશના અનેક શહેરોમાં લઘુમતી કોમના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે અને વિરોધ-દેખાવો કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ કેટલાક સ્થળોએ પથ્થરમારો, વાહનોને આગચંપી સહિતની ઘટના પણ સામે આવી છે. બીજી તરફ હવે દેશ અને ધર્મની રક્ષા માટે સાધુ-સંતો આગળ આવ્યાં છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code