આમલી વજન ઘટાડવાની સાથે ઈમ્યુનિટી પણ મજબૂત કરે છે,જાણો તેના જબરદસ્ત ફાયદા
- આમલીનું કરો સેવન
- સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- અનેક રોગોને કરે છે દૂર
ખાવાનો સ્વાદ વધારવા માટે ઘરોમાં આમલીનો ઉપયોગ કરવામાં આવે છે.જ્યાં કેટલાક લોકો આ રીતે ખાટી મીઠી આમલી ખાવાનું પસંદ કરે છે. તો કેટલીક મહિલાઓના રસોડામાં આમલી હંમેશા જોવા મળે છે.આમલીની ચટણી કે તેમાંથી બનાવેલું અથાણું દરેકને પસંદ છે. મોઢામાં પાણી લાવનાર આમલીના કેટલાક સ્વાસ્થ્ય લાભો પણ છે, જેના વિશે લોકો ઘણીવાર જાણતા નથી.
આમલીનો ઉપયોગ ઘણી બધી વાનગીઓનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે આમલી ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આમલી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય તે વજન પણ ખૂબ જ ઝડપથી ઘટાડે છે.આમલીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી અસ્થેમેટીક જેવા તત્વો હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- આમલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ પણ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને વેગ આપે છે અને ઝડપથી વજન ઘટાડે છે.
- આમલીમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. આ બંને ગુણ આપણા શરીરના મેટાબોલીઝમની ક્રિયાને મજબૂત બનાવવાની સાથે સાથે અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં, જો નિષ્ણાતોનું માનીએ તો, આમલી ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે.
- આમલીમાં રહેલા ફ્લેવોનોઈડ્સ, જે ઘણા ગુણોથી ભરપૂર છે, એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ કરે છે. જો તમે આમલીનું સેવન કરો છો, તો તમને હૃદય સંબંધિત બીમારીઓ થવાની સંભાવના ઓછી થઈ શકે છે.
- એટલું જ નહીં, એવું કહેવાય છે કે આમલી ખાવાથી પાચનતંત્ર શાંત રહે છે અને તે પાચનતંત્રને પણ ખૂબ જ મજબૂત બનાવે છે. આટલું જ નહીં, તેમાં હાજર પોલિફેનોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં બળતરાની સમસ્યાને દૂર કરે છે.