1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને પગલે તંત્ર એલર્ટ, 84 તાલુકામાં પડ્યો વરસાદ
ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને પગલે તંત્ર એલર્ટ, 84 તાલુકામાં પડ્યો વરસાદ

ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને પગલે તંત્ર એલર્ટ, 84 તાલુકામાં પડ્યો વરસાદ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સંભવિત વાવાઝોડુ તૌકતે ટકરાવવાની શકયતા છે. જેની અસર રાજ્યના વિવિધ વિસ્તારમાં જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયાં છે. તેમજ ભારે પવન પણ ફુંકાયો હતો. દરમિયાન 24 કલાકમાં અમદાવાદ સહિત 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

અમદાવાદના ધોળકામાં સવા એક ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં એક ઈંચ, સુરતના ઉમરપાડામાં એક ઈંચ, છોટાઉદેપરુના કવાંટમાં 22 એમએમ, નવસારીના ખેરગામાં 22 એમએમ, સુરેન્દ્રનગરના વઢવાણ અને વલસાડના પારડીમાં 19 એમએમ, ખેડાના માતર અને મહેમદાબાદમાં 17 એમએમ, અમદાવાદના સાણંદ,પંચમહાલના મોરવાહડફ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 12-12 એમએમ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે સવારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકે તેવી શકયતા છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

વાવાઝોડાની શકયતાને પગલે દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યાં છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાં એનડીઆરએફ સહિતની બચાવ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત સરકાર અને અધિકારીઓના સતત સંપર્કમાં હોવાનું જાણવા મળે છે. તેમજ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code