1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી ન કરાતા ટેટ પાસ ઉમેદવારોએ સાગમટે સરકારને કરી રજુઆત
રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી ન કરાતા ટેટ પાસ ઉમેદવારોએ સાગમટે સરકારને કરી રજુઆત

રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી ન કરાતા ટેટ પાસ ઉમેદવારોએ સાગમટે સરકારને કરી રજુઆત

0
Social Share

ગાંધીનગર:  રાજ્યમાં વિદ્યાસહાયકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા ત્રણ વર્ષથી ભરતીની માગ કરતા ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતાં રજૂઆત કરવા માટે ઉમેદવારો 40મી વખત સચિવાલય ખાતે ઉમટ્યા હતા. વિદ્યાસહાયકોની 8500 જેટલી જગ્યા ખાલી હોવા છતાં સરકાર નિમણૂક કરતી નથી હોવાના ટેટના ઉમેદવારોએ આક્ષેપો કર્યા હતા. અહેવાલો અનુસાર, સ્વર્ણિમ સંકુલ ખાતે રજૂઆત કરવા આવેલા ટેટ-1 અને ટેટ-2ના પુરુષ અને મહિલા ઉમેદવારોએ વહેલી તકે ભરતી માટે સરકારને અરજી કરી હતી.

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે રજુઆત કરવા આવેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે,  વિદ્યાસહાયક માટે તેઓ લાયક છે અને જરૂરી પરીક્ષા પાસ કરેલી છે. રજૂઆત કર્યા બાદ દર વખતે સરકારી તંત્ર ટૂંક સમયમાં ભરતીનો નિર્ણય કરશે તેવો જવાબ આપે છે. આ વખતે પણ હકારાત્મક જવાબ આપ્યો છે પરંતુ પછી નિમણૂંક મળતી નથી. જો હવે ભરતી નહીં કરાય તો વય મર્યાદા અને વેલિડિટીનો પ્રશ્ન પણ સર્જાશે. આટલા વર્ષથી લાયક હોવા છતાં ભરતી ન થતાં હવે સમાજમાં અમારી ગણના શિક્ષિત બેરોજગાર તરીકે થઈ રહી છે. અગાઉ 39 વખત પણ રજૂઆત કરવા છતાં પણ સરકારે ભરતી નથી કરી. જેથી નાછૂટકે મોટી સંખ્યામાં ઉમેદવારો સચિવાલય પહોંચી ગયા હતા. ઉમેદવારોએ આક્રોશ સાથે જણાવ્યું કે, શિક્ષિત બેરોજગારીને કારણે સામાજિક પ્રશ્નો પણ સર્જાઈ રહ્યા છે. ગાંધીનગર રજૂઆત કરવા આવવું હોય કેટલાક ઉમેદવારો પાસે ભાડું પણ નથી તેવી સ્થિતિ છે. સરકાર આ અંગે વહેલી તકે નિર્ણય કરે તો ઉમેદવારોને ફાયદો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code