1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિંગલ યુઝ પ્લાસ્ટીક પોલીસી અંતર્ગત 75 માઈક્રોનના નિયમથી અનેક લોકોની રોજગારીને અસર થશે
સિંગલ યુઝ પ્લાસ્ટીક પોલીસી અંતર્ગત 75 માઈક્રોનના નિયમથી અનેક લોકોની રોજગારીને અસર થશે

સિંગલ યુઝ પ્લાસ્ટીક પોલીસી અંતર્ગત 75 માઈક્રોનના નિયમથી અનેક લોકોની રોજગારીને અસર થશે

0
Social Share

અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી અંતર્ગત 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર સપ્ટેમ્બરથી પ્રતિબંધ આવી રહ્યો છે. આ નીતિ અમલી બનશે તો બજારમાંથી પાણી અને આઈસક્રીમના પ્લાસ્ટિકના કપ, ચોકલેટ રેપર તેમજ નાસ્તા-ભોજન પ્રસંગે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ ડિશો-ચમચીઓ બજારમાંથી ગાયબ થઈ જશે.

ગુજરાતમાં  આવા અંદાજે 3500 નાના ઉત્પાદકો છે અને તેમને કામ ચાલુ રાખવા માટે પોતાના યુનિટને અપગ્રેડ કરવા પડશે. આ અપગ્રેડેશન માટે એક યુનિટદીઠ આશારે રૂ.5 લાખ જેવો ખર્ચ આવી શકે છે. સંયુક્ત રીતે નાના યુનિટોને આમાં રૂ.200 કરોડ સુધીનો ચાંદલો ચોંટી શકે છે અને અંદાજે 70 હજાર લોકોની રોજગારીને પણ અસર થશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પ્લાસ્ટિકના 10થી 12 હજારની આસપાસ યુનિટ ચાલી રહ્યા છે, જેમાં તમામ પ્રકારની પ્લાસ્ટિકની આઈટેમો બને છે. એમાંથી 30 ટકા, એટલે કે અંદાજે 3500 આસપાસ યુનિટ એવા છે, જે 75 માઈક્રોનવાળા પ્લાસ્ટિકની પ્રોડક્ટસ બનાવે છે. એમાં કેરી બેગ, થર્મોકોલ, ચાના કપ સહિતની વસ્તુઓ સામેલ છે. ત્યારે હવે સરકાર 75થી ઓછા માઈક્રોનવાળા પ્લાસ્ટિક (સિંગલ યુઝ પ્લાસ્ટિક) પર પ્રતિબંધ લગાવશે તો એનું સૌથી વધુ નુકસાન 4000ની આસપાસ યુનિટોને પહોંચશે.

સરકારના નવા નિયમથી સૌથી વધુ નુકસાન નાના યુનિટોને પડશે, કારણ કે તે ઉત્પાદકોએ પોતાની મશીનરીને અપગ્રેડ કરવી પડશે, એટલે કે જે ઉત્પાદકો પાસે 50 માઈક્રોનના યુનિટ છે તેમને જો 75 માઈક્રોન સુધી અપગ્રેડ કરવામાં વધારે ખર્ચ નહિ થાય. 50થી 75 માઈક્રોન અપગ્રેડ કરવા માટે મશીનનો 3થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, પરંતુ જે યુનિટને 120 માઈક્રોન સુધી અપગ્રેડ કરવામાં આવે તો ખર્ચ લાખોમાં પહોંચી શકે છે, કારણ કે એ મશીનરીમાં અનેક મોટા ફેરકાર કરવા પડશે.

આવામાં નાના ઉત્પાદકો પર ખર્ચનો ભાર વધશે. પહેલેથી જ કોરોનાના કારણે અનેક યુનિટ 2 વર્ષથી બંધ હતા, ત્યારે હવે સરકારના નવા નિયમ આવતાં મશીનરી તેમજ કારીગરોનો પગાર કેવી રીતે કાઢવો એ મોટો સવાલ છે. બીજી તરફ, બેંક તરફથી પણ લોનની મદદ નથી મળતી. સરકારે કહ્યું હતું કે 1 કરોડ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન આપવી, પરંતુ કોઈ બેંક આપતી નથી.

પ્લાસ્ટીક મેન્યુફેક્ચરર્સ એસોના સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  નવા નિયમ બાદ ઉત્પાદકોની સાથે સામાન્ય વ્યક્તિને પણ નુકસાન પહોંચશે, કારણ કે હવે યુનિટને અપગ્રેડ કરવા પાછળ ખર્ચ વધશે. પ્લાસ્ટિકથી બનતી પ્રોડક્ટના પણ ભાવમાં વધારો થશે, એટલે કે હાલમાં 50 માઈક્રોનથી બનેલી પ્લાસ્ટિકની થેલી 10 રૂપિયામાં મળે છે, એનો ભાવ વધીને 15 રૂપિયા થઈ જશે, સાથે જ ચાના કપ, થર્મોકોલ સહિતની પ્રોડક્ટના ભાવમાં વધારો થશે.

આ વિશે અમે સરકારને અનેક રજૂઆતો પણ કરી હતી કે માઈક્રોનના નિયમમાં ફેરફારની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ રોડ બનાવવા માટે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે સામાન્ય રોડ કરતાં પ્લાસ્ટિકથી બનતો રોડ ત્રણ ઘણો વધારે મજબૂત હોય છે, સાથે જ પ્લાસ્ટિકથી થતા પોલ્યુશનને પણ અટકાવી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code