1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્ર સરકારે શરતોને આધીન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો
કેન્દ્ર સરકારે શરતોને આધીન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

કેન્દ્ર સરકારે શરતોને આધીન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હવે ચોખાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, હવે બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે, સરકાર દ્વારા કેટલીક શરતોના આધારે નિકાસ માટે મંજુરી આપવામાં આવી છે. સરકારે પ્રતિબંધની જાહેરાત કરીને 1200 ડોલર પ્રતિ ટનથી વધારેની કિંમતની નિકાસની મંજુરી આપી છે. જેનાથી ઓછી કિંમતના બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચોખાની કિંમત કાબુમાં લેવા માટે અને સ્થાનિક જરુરીયાત પુરી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

બાસમતી ચોખા એક ખાસ પ્રકારની ક્વોલિટીના હોય છે. વર્ષ 2022-23માં ભારતમાંથી 4.8 અરબ ડોલરની કિંમતના 45.6 લાખ ટન બાકમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી. પહેલા કેન્દ્ર સરકારે નોન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે 20મી જુલાઈના રોજ ગેર-બાસમતી સફેદ ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. દેશમાંથી ચોખાની નિકાસમાં ગેર-બાસમતી ચોખાની નિકાસનો હિસ્સો 25 ટકા છે. ભારતમાંથી ગેર-બાસમતી સફેદ ચોખાની નિકાસ 2022-23માં 4.2 મિલિયન અમેરિક ડોલરની નિકાસ થઈ છે. ભારતમાંથી સૌથી વધારે ગેરબાસમતી ચોખાની નિકાસ થાઈલેન્ડ, ઈટલી, સ્પેન, શ્રીલંકા અને અમેરિકામાં કરાય છે.

ભારતે અગાઉ ગેરબાસમતી ચોખાની નિકાસને પગલે દુનિયાના કેટલાક દેશોમાં ચોખાની ભારે ખેંચ ઉભી થઈ હતી. હવે બાસમતી ચોખાના નિકાસ ઉપર શરતોને આધીન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેના પરિણામે અમેરિકા સહિતના દેશોમાં પણ બાસમતી ચોખાને લઈને મુશ્કેલી ઉભી થવાની શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code