1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્ર સરકારે મદરેસામાં 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય કર્યો
કેન્દ્ર સરકારે મદરેસામાં 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય કર્યો

કેન્દ્ર સરકારે મદરેસામાં 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય કર્યો

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારએ મદરેસામાં 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. તેમજ આ અંગે જરુરી આજેશ પણ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં ધો-1થી 5ના બાળકોને રૂ. એક હજારની શિષ્યવૃત્તિ મળતી હતી. જ્યારે 6થી 8ના બાળકોને એલગ-અલગ કોર્સના હિસાબે શિષ્યવૃત્તિ મળતી હતી.

કેન્દ્ર સરકારનું માનવુ છે કે, શિક્ષાના અધિકાર હેઠળ ધો-1થી 8 સુધી અભ્યાસ મુફ્ત છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને અન્ય જરૂરી સુવિધા પુરી પાડવામાં આવે છે. જેથી સરકારે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ધો-9 અને 10ના વિદ્યાર્થીઓને પહેલાની જેમ જ શિષ્યવૃત્તિ મળતી રહેશે, જે માટે તેમણે અરજી કરવી પડશે.

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં તાજેતરમાં જ મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 8496 મદરેસા ગેરકાયદે મળી આવી હતી. સર્વે દરમિયાન મદરેસામાં આવકના સ્ત્રોત જણાવવામાં આવ્યાં હતા. ઉત્તરપ્રદેશમાં નેપાળ નજીકના સરહદી વિસ્તાર સિદ્ધાર્થનગરમાં 500, બલરામપુરમાં 400, બહરાઈચ અને શ્રીવસ્તીમાં 400, લખીમપુરમાં 200 અને મહારાજગંજમાં 60થી વધારે મદરેસા ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું.

આ મદરેસામાં કોલકતા, ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, સઉદી અને નેપાલથી દાન મળતુ હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.  આ ઉપરાંત અન્ય આવકના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં ગયા વર્ષે 16558 મદરેસામાં 4 લાખથી વધારે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. જે બાદ આ વર્ષે નવેમ્બરમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ માટે અરજી કરવાની હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code