કેન્દ્ર સરકારે કુમાર વિશ્વાસને Y કેટેગરીની સુરક્ષા આપી,CRPF જવાન રહેશે તૈનાત
- કુમાર વિશ્વાસને Y કેટેગરીની સુરક્ષા
- MHAએ IBના રિપોર્ટ પર લીધો નિર્ણય
- CRPF જવાન રહેશે તૈનાત
દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કુમાર વિશ્વાસને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર IBના રિપોર્ટ પર MHAએ વિશ્વાસને સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.આમ,CRPF જવાન તૈનાત રહેશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશે આપવામાં આવેલા નિવેદન બાદ કુમારને આ સુરક્ષા આપવાનું કહેવામાં આવ્યું છે. હકીકતમાં, આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે, અરવિંદ કેજરીવાલે તેમને કહ્યું હતું કે, એક દિવસ તેઓ કાં તો પંજાબના મુખ્યમંત્રી બનશે અથવા સ્વતંત્ર રાષ્ટ્ર (ખાલિસ્તાન)ના પ્રથમ વડાપ્રધાન બનશે.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુમાર કવિ વિશ્વાસના તાજેતરના નિવેદન બાદ તેમને સશસ્ત્ર સુરક્ષાની ઓફર કરવામાં આવી શકે છે.