1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસે વિધાનસભામાં વોકઆઉટ કર્યો
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસે વિધાનસભામાં વોકઆઉટ કર્યો

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસે વિધાનસભામાં વોકઆઉટ કર્યો

0
Social Share

ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવા સામે ઘણા સમયથી વિરોધ ઊઠ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દો આજે વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો મોહનથાળ લઈને ગૃહમાં આવ્યા હતા. અને ભાજપના ધારાસભ્યોને પ્રસાદીરૂપી મોહનથાળ આપીને અંબાજી મંદિરમાં ભાવિકોની લાગણીને માન આપીને ચિક્કીના સ્થાને મોહનથાળનો પ્રસાદ આપવાની માગ કરી હતી.કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે-કાર્ડ સાથે હોબાળો મચાવીને વોકઆઉટ કર્યો હતો. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા આ મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. કોંગેસના ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્યોને ગૃહમાં પ્રસાદરૂપી મોહનથાળ ખવડાવ્યો હતો, દરમિયાન મોહનથાળ ખાનારા ભાજપી ધારાસભ્યએ ખાદ્ય પદાર્થની ફોરેન્સિક તપાસની માગ કરી હતી. અંબાજી પ્રસાદ અંગે ગૃહમાં ચર્ચાની અનુમતી ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવીને વોક આઉટ કર્યો હતો, દરમિયાન કોંગેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

અંબાજી મંદિરમાં મોહનથાળને પ્રસાદ શરૂ કરવા માટેની માંગ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ આજે મોહનથાળને અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે શરૂ કરવા માટેનો મુદ્દો ગુંજ્યો હતો. કોંગી સભ્યોએ ગૃહમાં ચર્ચાની માગ કરી હતી. અને વોક આઉટ કર્યો હતો. વોક આઉટ કરનારા તમામ કોંગેસના ધારાસભ્યોને અધ્યક્ષે આજના દિવસ પુરતા ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

ગુજરાત વિધાનસભા ગૃહની બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ બાદ કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં મોહનથાળ લઈને આવ્યા હતા. આ મોહનથાળ ભાજપના તમામ ધારાસભ્યોને વહેંચવામાં અને ખવડાવવામાં આવ્યો હતો. જો કે આ સમયે વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યને સુચના આપી હતી કે, જે પણ ધારાસભ્ય ખાદ્ય પ્રદાર્થ ગૃહમાં લઇને આવ્યા હોય તે બહાર મુકીને આવે. આમ, ગૃહમાં પ્રશ્નોતરી બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ અંબાજી મંદિરના પ્રસાદ બાબતે વિરોધ કરવાનું શરૂ કર્યું હતુ. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળના બદલે ચીકીને પ્રસાદ તરીકે આપવાના નિર્ણયનો આજે વિધાનસભા ગૃહમાં કોગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યને મોહનથાળના વહેંચણી કરી હતી. કોગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં પ્રસાદ બાબતે સુત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત કોગ્રેસના ધારાસભ્યોએ અંબાજીના પ્રસાદ બાબતે ગૃહમાંથી વોક આઉટ કર્યું હતુ. અધ્યક્ષે વિરોધમાં જોડાયેલા ધારાસભ્યને નેમ કરીને નોટિસ આપી ગૃહની આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code