1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારે છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની 6 ડિફેન્સ કંપનીઓની હિસ્સેદારી વેચી આટલા કરોડ એકત્ર કર્યા
સરકારે છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની 6 ડિફેન્સ કંપનીઓની હિસ્સેદારી વેચી આટલા કરોડ એકત્ર કર્યા

સરકારે છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની 6 ડિફેન્સ કંપનીઓની હિસ્સેદારી વેચી આટલા કરોડ એકત્ર કર્યા

0
Social Share
  • સરકારે છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની 6 ડિફેન્સ કંપનીઓની હિસ્સેદારી વેચી
  • સરકારે પોતાની હિસ્સેદારી વેચીને 26,457 કરોડ રૂપિયા એકત્ર કર્યા
  • હિંદુસ્તાન એરેનોટિક્સ લિમિટેડમાં પોતાની હિસ્સેદારી વેચીને સરકારે 14,184.70 કરોડ રૂપિયા એકત્ર કર્યા

સરકારે છેલ્લા 5 વર્ષોમાં 6 ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એટલે કે રક્ષા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પોતાની હિસ્સેદારી વેચીને 26,457 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. રાજ્યસભામાં રાજ્યમંત્રી શ્રીપદ નાયકે આ જાણકારી આપી હતી. સરકારે સૌથી વધુ કમાણી હિંદુસ્તાન એરેનોટિક્સ લિમિટેડમાં પોતાની હિસ્સેદારી વેચીને કરી છે. આનાથી સરકારે 14,184.70 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

એક સવાલના જવાબમાં નાયકે કહ્યું કે, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં હિસ્સો વેચીને સરકારને 14,184.70 કરોડ રૂપિયા, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં હિસ્સો ઘટાડીને 8,073.29 કરોડ રૂપિયા અને ભારત ડાયનામિક્સ લિમિટેડમાં હિસ્સેદારી વેચવાથી 2,371.19 કરોડ રૂપિયા મેળવ્યા છે.

આ રીતે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (MIDHANI)માં ભાગીદારી વેચવાથી 434.14 કરોડ રૂપિયા, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જીનિયર્સ લિમિટેડ (ગ્રીજ)થી 420.52 કરોડ રૂપિયા અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં હિસ્સેદારી વેચવાથી 974.15 કરોડ રૂપિયા મેળવ્યા છે.

નાયકે કહ્યું કે આ વેચાણ મેનેજમેન્ટની સ્થિતિમાં ફેરફાર કર્યા વિના ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. આ દ્વારા સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં વધારો કરવામાં આવ્યો છે. જે સાહસોનો હિસ્સો વેચાયો છે તે વિમાન નિર્માણ, મિસાઇલ ઉત્પાદન, ફાઇટર પ્લેન નિર્માણ અને સ્પેસ સેટેલાઇટ સાધનો સાથે સંકળાયેલા છે.

સરકાર ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL), મેકોન લિમિટેડ અને એન્ડ્ર્યૂ યૂલ એન્ડ કંપની લિમિટેડમાં પોતાની હિસ્સેદારી વેચી શકે છે. ડિસ્ઈન્વેસ્ટમેન્ટ પિકના આગામી દોર માટે આ કંપનીઓ પર સરકાર વિચાર કરી રહી છે. જ્યારે સરકાર કોઈ જાહેર ક્ષેત્રની કંપની એટલે કે PSUમાં પોતાની અમુક હિસ્સેદારી વેચે છે ત્યારે તેને ડિસઈન્વેસ્ટમેન્ટ કહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code