1. Home
  2. ગુજરાતી
  3. આડાસંબંધની આશંકાએ મકાન માલિકે પુત્રવધુ અને ભાડુઆત સહિત 4ની કરી હત્યા
આડાસંબંધની આશંકાએ મકાન માલિકે પુત્રવધુ અને ભાડુઆત સહિત 4ની કરી હત્યા

આડાસંબંધની આશંકાએ મકાન માલિકે પુત્રવધુ અને ભાડુઆત સહિત 4ની કરી હત્યા

0
Social Share

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગુડગાંવમાં એક મકાન માલિકે આડાસંબંધની આ શંકાએ પુત્રવધુ, ભાડે રહેતો કહેવાતો પ્રેમી અને એક બાળક સહિત ચાર વ્યક્તિની ઘાતકી હત્યા કરી હતી. આ બનાવમાં એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુડગાંવના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં એક મકાનમાં ચાર વ્યક્તિઓની હત્યા થઈ હોવાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. જ્યારે બે મહિલા અને એક બાળક સહિત ચાર વ્યક્તિઓની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. મકાન માલિકને પોતાની પુત્રવધુને ભાડે રહેતા યુવાન સાથે આડોસંબંધ હોવાની આશંકા હતી. જેથી તેણે પુત્રવધુ, મકાન માલિક, તેની પત્ની અને એક બાળકની હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મકાન માલિકની ધરપકડ કરીને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.

પોતાના મકાનમાં ચાર વ્યક્તિઓની હત્યા કરીને મકાન માલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં તેણે ચાર વ્યક્તિઓની હત્યા કરી હોવાની જાણકારી આપતા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ ચારેય વ્યક્તિઓની ધારદાર હથિયારની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code