1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળાનું અમૃત ફળ છે સક્કર ટેટી – બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબજ ગુણકારી
ઉનાળાનું અમૃત ફળ છે સક્કર ટેટી – બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબજ ગુણકારી

ઉનાળાનું અમૃત ફળ છે સક્કર ટેટી – બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબજ ગુણકારી

0
Social Share
  • સક્કર ટેટી ખાવાના અનેક ફાયદા
  • અનેક બીમારીમાં આપે છે રાહત

ઉનાળાની સિઝન આવતાની સાથે જ બજારોમાં રસ વાળા ફળોનું આગમન થતું હોય છે જેમાં તરબુંચ, દ્રાક્ષ અને સક્કર ટેટી વધુ પ્રમાણમાં જોવા મળે છે, આમ તો સક્કર ટેટીનું મૂળ નામ તો ટેટી જ છે ,પરંતુ તેમાં રહેલી સાકર જેવી મીઠાશને કારણે તેને સક્કર ટેટી કહવામાં આવે છે.તેને ખાવાથી શારીરિક ફાયદાઓ થાય છે,

જાણો ટેટી ખાવાના ફાયદા

  • ટેટી ખાવાથી બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક બિમારીઓમાંથી રાહત મળી શકે છે
  • બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક માટે તે ઉપયોગી છે
  • ખાસ કરીને સક્કર ટેટીનો પલ્પ માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું પણ કામ કરે છે.
  • આંખો માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે. આંખોના મહત્વના હિસ્સા એવા રેટિનાનો ઉંમર વધતાં ઘસારો થાય છે. સક્કર ટેટીમાં ઝેક્સેન્થીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ આવેલું છે, જે આ ઘસારાને અટકાવે છે.
  • સક્કર ટેટીમાં પ્રચૂર માત્રામાં રહેલું બીટા-કેરોટીન અને વિટામીન–સી અસ્થમા સામે રક્ષકરૂપ રહે છે.
  • પોટેશિયમ વિટામીન-સી ને કોલાઇન નામનું તત્વ સક્કર ટેટીમાં રહેલું હોવાથી તે હૃદયને લગતી અનેક તકલીફોમાં ઉપયોગી રહે છે.
  • ખાસકરીને બ્લડ પ્રેશના દર્દીઓ માટે ટેટી દવાનું કામ કરે છે
  • સક્કર ટેટી રેસાયુક્ત અને પાણીયુક્ત હોવાથી પાચનતંત્ર સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે વ્યક્તિઓને કબજિયાત રહેતી હોય, તેમણે પણ સક્કર ટેટી ખાવી જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code