1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તરાખંડ સરકારે કેટલીક છૂટ સાથે રાજ્યમાં કોવિડ કર્ફ્યુને 1 અઠવાડિયા માટે વધાર્યો
ઉત્તરાખંડ સરકારે કેટલીક છૂટ સાથે રાજ્યમાં કોવિડ કર્ફ્યુને 1 અઠવાડિયા માટે વધાર્યો

ઉત્તરાખંડ સરકારે કેટલીક છૂટ સાથે રાજ્યમાં કોવિડ કર્ફ્યુને 1 અઠવાડિયા માટે વધાર્યો

0
Social Share
  • ઉત્તરાખંડમાં કોરોના કર્ફ્યુ વધારાયું
  • એક અઠવાડિયા માટે વધારાયું કર્ફ્યું
  • 4 ઓગસ્ટ સુધી શરૂ રહેશે પાબંધીઓ

દહેરાદૂન:ઉત્તરાખંડ સરકારે કેટલીક વધુ છૂટ સાથે રાજ્યમાં કોવિડ કર્ફ્યુ મંગળવારે સવારે 6 વાગ્યાથી 4 ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારી અને બિન-સરકારી કચેરીઓમાં ફક્ત 50 ટકા કર્મચારીઓને જ બોલાવવાની ફરજ દૂર કરવામાં આવી છે. 100 ટકા ક્ષમતાવાળી તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ ખોલવામાં આવશે.

સરકારના પ્રવક્તા સુબોધ ઉનિયાલે એમ પણ કહ્યું હતું કે, રાજકીય, સામાજિક, રમતગમતની પ્રવૃત્તિઓ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યો બંધ રહેશે. પરંતુ સક્ષમ અધિકારીની પરવાનગી મળ્યા પછી તેઓનું આયોજન કરી શકાય છે. રાજ્ય સરકારે કેટલાક વધુ છૂટ સાથે કોવિડ કર્ફ્યુને એક અઠવાડિયા માટે વધાર્યો છે.

રાજ્યના તમામ સ્પા, સલૂન, સ્વિમિંગ પુલ, થિયેટરો, ઓડિટોરિયમ્સને 5૦ ટકા ક્ષમતા પર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ છૂટના કાર્યક્ષેત્રમાં હોટલોમાં સ્થિત સ્પા અને અલગ અલગ એકમો તરીકે કાર્યરત સ્પા સેંટર પણ સામેલ હશે. સરકારે નિર્ણય લીધો છે કે, કોવિડ પ્રોટોકોલની મદદથી 50 ટકા ક્ષમતાવાળા હોટલોમાં સ્થિત કોન્ફરન્સ હોલ, સ્પા અને જીમનો ઉપયોગ કરી શકાય છે.

એટીઆઇ-હલ્દવાણી, એફઆરઆઇ સહિતની તમામ સરકારી અને બિન-સરકારી તાલીમ સંસ્થાઓ પરથી પણ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આ સંસ્થાઓ પણ હવે ખુલ્લી જશે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરના તાલીમાર્થીઓ માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે સરકારી અને બિન-સરકારી તાલીમ સંસ્થાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી ઉપરના બાળકોને કોચિંગ આપતી સંસ્થાઓ 50 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવશે.

તમામ વ્યવસાયિક મથકો-બજારો સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સરકાર દ્વારા પહેલેથી નક્કી કરાયેલા વીકેંડ લોકડાઉનનાં દિવસે તેને બંધ રાખવામાં આવશે. રાજ્યમાં નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે.તો, શહેરી વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરાં, ભોજનાલય અને ઢાબા રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.કર્ફ્યુમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે, પરંતુ હજી પણ બેદરકારી દાખવવાની નથી.આ બીમારી સંપૂર્ણપણે અટકી નથી. તેથી દરેક વ્યક્તિએ સેનિટાઇઝેશન, માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code