1. Home
  2. ગુજરાતી
  3. ગઢચિરોલી એન્કાઉન્ટરમાં પેરીમિલી દલમ કમાન્ડર બિટલુ મડાવી સહિત ત્રણ માઓવાદી ઠાર મરાયાં
ગઢચિરોલી એન્કાઉન્ટરમાં પેરીમિલી દલમ કમાન્ડર બિટલુ મડાવી સહિત ત્રણ માઓવાદી ઠાર મરાયાં

ગઢચિરોલી એન્કાઉન્ટરમાં પેરીમિલી દલમ કમાન્ડર બિટલુ મડાવી સહિત ત્રણ માઓવાદી ઠાર મરાયાં

0
Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ એન્કાઉન્ટર કેદવાડા જંગલ વિસ્તારમાં થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, નક્સલિઓ જંગલમાં છુપાયેલા છે. પોલીસે જંગલ વિસ્તારમાં સર્ચ કર્યું હતું. દરમિયાન નક્સલવાદીઓએ ગોળીબાર કરતા પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસ સાથેની અથડામણમાં 3 નક્સલવાદીઓના મોત થયાં હતા.

તેમણે કહ્યું કે એક સૂચનાને પગલે, C-60 પોલીસ દળના બે એકમોને પ્રાહિતાથી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવા માટે મોકલવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જેના પગલે પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી.

તેમણે કહ્યું કે એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળેથી ત્રણ માઓવાદીઓના મૃતદેહ, હથિયારો અને અન્ય સામગ્રી મળી આવી છે. મૃતકોની ઓળખ પેરીમીલી દલમના કમાન્ડર બિટલુ મડાવી તરીકે થઈ હતી અને અન્ય બે મૃતદેહોની ઓળખ પેરીમીલી દલમના વાસુ અને અહેરી દલમના શ્રીકાંત તરીકે થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બિટલુ મડાવી 9 માર્ચે વિદ્યાર્થી સાઈનાથ નરોટેની હત્યા તેમજ આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં વિસામુંડી અને અલેંગા ખાતે માર્ગ નિર્માણના સાધનોને આગચંપી કરવાની બે ઘટનાઓમાં મુખ્ય આરોપી હતો.

તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાનને તેજ કરવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. દેશમાં આતંકવાદ અને નક્સલવાદની સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code