1. Home
  2. ગુજરાતી
  3. આજે હરિયાળી ત્રીજ – શા માટે આજના દિવસે રાખવામાં આવે છે વ્રત, જાણો તેનું ખાસ મહત્વ
આજે હરિયાળી ત્રીજ – શા માટે આજના દિવસે રાખવામાં આવે છે વ્રત, જાણો તેનું  ખાસ મહત્વ

આજે હરિયાળી ત્રીજ – શા માટે આજના દિવસે રાખવામાં આવે છે વ્રત, જાણો તેનું ખાસ મહત્વ

0
Social Share
  • હરિયાળી ત્રીજનું ખાસ મહત્વ
  • આજના દિવસે ભગવાન શિવ-પાર્વતિની પૂજા કરવામાં આવે છે

આપણા ભારત દેશમાં અનેક વાર તહેવારોની ધાનમધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છેજેમાં શ્રાવણમાસનું તો ખાકસ મહત્વ રહેલું છે કારણ કે આ માસ એવો માસ છે કે જેમાં ઘણા બધા તહેવારો આવતા હોય છે સાથે જ આ માસનો મહિમાં પમ અનેરો છે, ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે એક મહિનાના ઉપવાસ કરવામાં આવે છે તો કેટલાક લોકો માત્ર સોમવારના ઉપવાસ પણ કરે છે, આ સાથે જ શ્રાવણ મહિનો શરુ થાય ત્યારે તેના ત્રીજા દિવસે હરિયાળઈ ત્રીજ મનાવવામાં આવે છો તો ચાલો જાણીએ હરિયાળી ત્રીજ વિશેની કેટલીક વાત

શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે હરિયાળી તીજનો તહેવાર ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ, આ તહેવાર જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં ઉજવવામાં આવે છે. આ વખતે હરિયાળી તીજ 31મી જુલાઈ એટલે કે આજે રવિવારે ઉજવવામાં આવી રહી છે આ દિવસે ખૂબ જ વિશેષ યોગ એટલે કે રવિ યોગ રચાઈ રહ્યો છે.

કોઈ પણ શુભ કાર્ય કે પૂજા માટે રવિ યોગની ઉપાસના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ખૂબ જ ફળદાયી પણ છે. આ વખતે હરિયાળી તીજ પર રવિ યોગની રચના ખૂબ જ ખાસ જોવા મળી  છે. આ યોગ 31 જુલાઈએ બપોરે 2:20 વાગ્યે શરૂ થઈ ગયો છે અને બીજા દિવસે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

ત્રીજમાં શું કરવામાં આવે છે જાણો

આ રવિ યોગમાં પૂજા પાઠ કરશો તો તમને આ યોગનું પુણ્ય ફળ ચોક્કસ મળશે. આ હરિયાળી તીજમાં માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમારે માતા પાર્વતીની સાથે શુદ્ધ માટીમાં ગંગા જળ ભેળવીને શિવલિંગ બનાવવું જોઈએ.

આ સહીત ભગવાન શિવને બિલીપત્ર. ધતુરા. ગાંજો  જેવો પ્રસાદ ચઢાવોઅને ધૂપ-દીપ પ્રગટાવીને મનમાં સતત ‘ઓમ નમઃ શિવાય’ નો જાપ કરો. આ સાથે તમે માપાર્વતીની પૂજા પણ કરો અને માતાને ચુનરી અર્પણ કરીને મીઠાઈ ચઢાવો. આ કરતી વખતે તમારે મા પાર્વતીના આ 6 મંત્રોનો સતત જાપ કરતા રહેવું જોઈએ.

ॐ पार्वतीपतये नमः” “ॐ शिवाय नमः” “ॐ शांतिरुपाय नमः” “ॐ जगतप्रतिष्ठाय नमः” “ॐ जगदात्त्री नमः” ” ॐ उमाय नमः

આ મંત્રોનો તમે જાપ કરી શકો છો.મા પાર્વતીની પૂજા કરતી વખતે, તેમને ઘૂપ બતાવતા વખતે , આ મંત્રોનો જાપ કરો જેથી માતા પ્રસન્ન થાય અને તમને સુખી જીવનનો આશીર્વાદ આપે. આ સાથે, તમારે હરિયાળી તીજના દિવસે ભગવાન શિવ અને પાર્વતીની કથા પણ જરૂર સાંભળવી.

ખોરાકની વાત કરીએ તો તે સાત્વિક હોવો જોઈએ. હરિયાળી તીજના દિવસે મીઠું નહીં. માત્ર ફળો જ ખાવા જોઈએ. જ્યારે તમે આ પ્રકારના યોગમાં પૂજા કરો છો, તો તમારું મન પણ પ્રસન્ન રહે છે અને તમને આ દિવસનું શુભ ફળ પણ મળે છે.

 હરિયાળી તીજના દિવસે, તમારે તમામ સોળ શણગાર કરીને તમારા પતિને લાંબા આયુષ્યની ઇચ્છા કરવી જોઈએ. મનમાં ઈચ્છા હોવી ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે પૂજા કરો છો. તો તમારું મન સાત્વિક છે. શાંત અને શુદ્ધ હોવું જોઈએ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code