ભારત UN સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બને તો તુર્કીને થશે ગર્વ – તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન
દિલ્હી :9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતે જી 20 સમિટનું દિલ્હી ખાતે આયોજન કર્યું જેમાં અનેક વિશ્વના નેતોએ હાજરી આપી હતી વિદેશી નેતાઓએ ભારતની ખૂબ જ પર્સંશાઓ કરી છે. ત્યારે તુર્કી દેશ પણ ભારતના હિતમાં વિચારે છે.
પ્રાપ્ત માહિચી પ્રમાણે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને વિતેવા દિવસને રવિવારે કહ્યું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બને તો તેમના દેશને પણ “ગર્વ” થશે.
એટલું જ તેમણે વઘુમાં એમ પણ કહ્યું કે તમામ બિન-P5 સભ્યોને પરિભ્રમણ દ્વારા સુરક્ષા પરિષદના સભ્ય બનવાની તક મળવી જોઈએ. તેઓ મીડિયા બ્રીફિંગમાં આ સવાલનો જવાબ આપી રહ્યા હતા. તુર્કીના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરી હતી.
આ સહીત P5 અથવા સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો – ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને યુએસ – નો ઉલ્લેખ કરતા તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું, “વિશ્વ પાંચ કરતા પણ મોટૂ છે.” તેમણે કહ્યું, “જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બને તો અમને ગર્વ થશે.” અમારું કહેવાનો અર્થ એ છે કે તે માત્ર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયાની વાત નથી. અમે “અમે માત્ર આ પાંચ દેશોને જ સુરક્ષા પરિષદમાં રાખવા માંગતા નથી.”
તેમણે કહ્યું કે હાલમાં યુએનએસસીના 15 સભ્યો છે, જેમાંથી પાંચ કાયમી છે અને 10 રોટેશનલ સભ્યો છે. અમારો પ્રસ્તાવ છે કે આ તમામને કાયમી સભ્યપદ આપવામાં આવે. તમામ દેશોને એક પછી એક યુએનએસસીના સભ્ય બનવાની તક મળવી જોઈએ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં 195 સભ્ય દેશો છે. તેથી, અમે એક રોટેશનલ મિકેનિઝમ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં 195 દેશોને કાયમી સભ્ય બનવાની તક મળે છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીર જેવા મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરનારા એર્દોગનના મોઢેથી આ વાતો સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે.ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ જી-20 સમિટ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.