1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

0
Social Share

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી ગયા હતા.

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી હતી. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના પિચનાદ માછિલ વિસ્તાર પાસે થયું હતું. અધિકારીએ જણાવ્યું કે, બે આતંકવાદીઓ માર્યા ગયા. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ મેળવવામાં આવી રહી છે અને તેમના જોડાણની ખાતરી કરવામાં આવી રહી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી કે તેઓ કઈ સંસ્થાના હતા તે પણ જાણવા મળ્યું નથી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code