1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાણ મનાવીને જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાણ મનાવીને જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાણ મનાવીને જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા

0
Social Share

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દર વર્ષે ઉત્તરાણના તહેવારમાં પોતાના માદરે વતન આવીને મત વિસ્તારની મુલાકાત લેતા હોય છે. તેમજ જગન્નાથજીના મંદિરે પરિવાર સાથે પૂજા કરતા હોય છે. અમિત સાથે ઉત્તરાણના દિવસે તેમના મત વિસ્તાર ઘાટલોડિયા, વેજલપુર અને ગોતામાં વંદેમાતરમ વિસ્તારમાં જઈને પતંગ ચગાવીને ઉત્તરાણની મોજ મહાણી હતી. સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ અમિત શાહ વેજલપુર વિધાનસભામાં આવેલા વિનસ પાર્ક ફ્લેટમાં પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો, ધારાસભ્યો અને રહીશો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પતંગ ચગાવી હતી. અમિત શાહે પતંગ ચગાવ્યા બાદ નાસ્તાની મજા પણ માણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ધારાસભ્ય અમિત ઠાકર, હર્ષદ પટેલ વગેરે હાજર રહ્યાં હતા.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિના પર્વે અમદાવાદ આવીને કાર્યકરોના ઘરે જઈને પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેમણે કાર્યકરો સાથે પતંગોત્સવની મજા મહાણી હતી. આ વખતે શાહ બે દિવસની રજાઓમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. શનિવારે શાહે પરિવાર અને કાર્યકર સાથે પતંગ ચગાવાની મજા માણી હતી. પ્રથમ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પતંગ ચગાવ્યા બાદ બપોરે વંદે માતરમ સિટી ખાતે પણ કાર્યકરો સાથે ઉતરાયણ મનાવી હતી.  સાંજે કલોલમાં કાર્યકરો સાથે અમિત શાહ ઉતરાયણ મનાવી હતી. જ્યારે આજે 15 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં મોટી આદરજ ગામ ખાતે સહકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાણના દિવસે સવારે અમિત સાઙ પોતાના પરિવાર સાથે પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને શેરડીની મજા માણીને પતંગના પેચ લડાવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code