1. Home
  2. ગુજરાતી
  3. યુપી:સ્વતંત્ર દેવે વિધાન પરિષદના પદ પરથી આપ્યું રાજીનામું,કેશવ પ્રસાદને મળી જવાબદારી
યુપી:સ્વતંત્ર દેવે વિધાન પરિષદના પદ પરથી આપ્યું રાજીનામું,કેશવ પ્રસાદને મળી જવાબદારી

યુપી:સ્વતંત્ર દેવે વિધાન પરિષદના પદ પરથી આપ્યું રાજીનામું,કેશવ પ્રસાદને મળી જવાબદારી

0
Social Share

10 ઓગસ્ટ,લખનઉ:ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભાજપના પૂર્વ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે બુધવારે એટલે કે આજે વિધાન પરિષદના નેતાનું પદ છોડી દીધું છે.ખાસ વાત એ છે કે જલશક્તિ મંત્રી સ્વતંત્ર દેવે પદ છોડ્યા બાદ જ વિલંબ કર્યા વિના બીજેપીએ બીજી વિધાન પરિષદના નેતાની પણ પસંદગી કરી હતી.રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવે તેમના રાજીનામા પાછળ તેમની વ્યસ્તતાને મુખ્ય કારણ ગણાવ્યું છે.સ્વતંત્ર દેવના રાજીનામા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે,પૂર્વ ડેપ્યુટી સીએમ ડો. દિનેશ શર્માને વિધાન પરિષદના નેતાનું પદ આપવામાં આવી શકે છે.પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કેશવ મૌર્યને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. આ પછી હવે વિધાન પરિષદના નેતાનું પદ સોંપવામાં આવ્યું છે.

રાજનીતિના ગલિયારાઓમાં, જુલાઈના અંતિમ સપ્તાહમાં સ્વતંત્ર દેવ સિંહે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ, તેઓ પોતાને કેશવ પ્રસાદ મૌર્ય કરતા નાના સમજવા લાગ્યા હતા.હવે સ્વતંત્ર દેવે વિધાન પરિષદના નેતા પદેથી રાજીનામું આપતાં આ ચર્ચાઓમાં ક્યાંકને ક્યાંક સત્ય બહાર આવવા લાગ્યું છે.નોંધનીય છે કે 16 જુલાઈના રોજ સ્વતંત્ર દેવનો પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો હતો.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code