1. Home
  2. ગુજરાતી
  3. અમેરીકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો એ મંત્રી એસ જયશંકર સાથે કરી વાતચીત-અનેક મુદ્દા પર થઈ ચર્ચા
અમેરીકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો એ  મંત્રી એસ જયશંકર સાથે કરી વાતચીત-અનેક મુદ્દા પર થઈ ચર્ચા

અમેરીકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો એ મંત્રી એસ જયશંકર સાથે કરી વાતચીત-અનેક મુદ્દા પર થઈ ચર્ચા

0
Social Share
  • અમેરીકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરી વાતચીત
  •  અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા
  • આ વર્ષના અંત સુધી મંત્રી સ્તરની વાત માટે સહમતિ દર્શાવી
  • આ સ્તરની વાતચીતમાં બન્ને દેશના બે-બે મંત્રીઓ હાજર રહેશે
  • ભારત અને અમેરીકાના સંબંધોને મજબુત બનાવવા માટે ભાર મૂક્યો

અમેરીકાના વિદેશ મંત્રીએ ગુરુવારના રોજ વિદેશમંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાતચીત કરી છે,અમેરીકા વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બન્ને દેશના મંત્રીઓ વચ્ચે થયેલી વાતચીતમાં બેપક્ષિય સંબંધો અને બહુપક્ષિય સહયોગને લઈને ચર્ચા કરવામાં આવી હતી,અમેરીકી વિદેશ મંત્રાલય મુજબ, બન્ને દેશના નેતાઓ એ આ વર્ષના અંત સુધી મંત્રી સ્તરની વાત માટેની સહમતિ દર્શાવી હતી,આ સ્તરની વાતમાં બન્ને દેશના બે- બે મંત્રીઓની હાજરી હશે.

અમેરીકી વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, બન્ને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાનું સમર્થન કરવા બાબતે તથા બીજા અનેક આતંરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે કોરોના મહામારીનો સામનો કરવા તથા હાલમાં વિસ્તારોને અસ્થિર કરનાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, માઈક પોમ્પિયો અને એસ જયશંકર એ ઈન્ડો પેસિફિક રિઝનની સાથે જ વિશ્વમાં શાંતિ,સમૃદ્ધી અને સુરક્ષા માટે ભારત અને અમેરીકાના સંબંધોને મજબુત બનાવવા માટે ભાર મૂક્યો છે,આ સાથે જ બન્ને દેશોના મંત્રીઓ એ ક્ષેત્રિય અને આતંરરાષ્ટ્રીય મુદ્દાઓને લઈને અકબીજાને હંમેશા સહકાર આપવાની  સહમતિ દર્શાવી હતી.

UNSCમાં જમ્મુ-કાશઅમીરના મુદ્દે ચીન એકલું પડ્યું

તો બીજી તરફ અમેરીકા પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) એચઆર મૈકમાસ્ટરએ અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી હનીફ અતમર સાથે વાત કરી હતી. આ દરમિયાન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા બંને પાકિસ્તાની આતંકવાદી સંગઠનોના અલકાયદા,આઈએસ અને અન્ય આતંકવાદી જૂથોના સંબંધ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાનએ મૈકમાસ્ટરને કહ્યું હતું કે માનવાધિકાર વિનાની શાંતિ નકામી છે.

ચીન સામે એકજુથ થયા લોકતાંત્રિક દેશો

ઉલ્લેખનીય છે કે, બંને દેશોના વિદેશ મંત્રીઓની થયેલી વાતચીતના એક દિવસ પહેલા જ સંયૂક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કાશ્મીરના મુદ્દે અનૌપચારિક ચર્ચા થઈ હતી. ચીન તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારતે જમ્મુ-કાશ્મીરના દરજ્જામાં કરેલો બદલવાનો નિર્ણય એક તરફી નિર્ણય છે, જે ગેરકાયદેસર છે.તો બીજી તરફ અમેરિકાએ આ સમગ્ર ચર્ચાને કોઈ પરિણામ વિના સમાપ્ત કરવા જણાવ્યું હતું, આમ ચીન કાશ્મીર મુદ્દે એકલુ પડ્યુ હતું ,સંયૂક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કાશ્મીરના મુદ્દે ચીનને કોઈનો સહકાર મળ્યો નહોતો.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code