1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી – ત્રણ દિવસમાં બોમ્બથી હુમલાની ધમકી મામલે ફરીયાદ નોંધાઈ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી – ત્રણ દિવસમાં બોમ્બથી હુમલાની ધમકી મામલે ફરીયાદ નોંધાઈ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી – ત્રણ દિવસમાં બોમ્બથી હુમલાની ધમકી મામલે ફરીયાદ નોંધાઈ

0
Social Share
  • સીએમ યોગીને જાનથી મારી નાખવાની મળી ધનકી
  • શાહીદ નામથી કોઈ વ્યક્તિએ વ્હોટ્સએપ પર આપી ધમકી

લખનૌઃ- ઉત્તરપ્રદેશષના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથને આજથી પહેલા ઘણી વખત મારી નાખવાની ધમકીો મળી હતી ત્યારે ફરી એક વખતસી એમ યોગી આદિત્યનાથને  બોમ્બથી હુમલાની ધમકી આપવામાં આવી છે.અગાઉની જેમ જ  આ વખતે પણ યુપી-112માં વોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને ધમકી આપવામાં આવી હતી.

જાણકારી પ્રમાણએ ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાહિદ જણાવ્યું છે અને કહ્યું કે ત્રણ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ અંગે સુશાંત ગોલ્ફ સિટી કોતવાલીમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસન અને ગુપ્તચર એજન્સી આ મામલે તપાસ તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જ્યારે સીએમ યોગને આ પ્રકારની ધમકી અપાી છે.

કંટ્રોલ રૂમ યુપી-112ના ઓપરેશન કમાન્ડર સુભાષ કુમારે એફઆઈઆર નોંધાવી છે કે 2 ઓગસ્ટની સાંજે ઓપરેશન ઈન્ટરનેટ મીડિયાના વોટ્સએપ નંબર પર એક મેસેજ આવ્યો હતો કે સીએમ યોગીને પર ત્રણ દિવસમાં બોમ્બથી હુમલો કરવામાં આવશે

ત્યાર બાદ તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસે આ મેસેજનો સ્ક્રીન શોટ ગુપ્તચર એજન્સીઓને પણ આપ્યો છે. આ પહેલા પણ મુખ્યમંત્રીને આવા મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અસામાજીક તત્વો દ્રારા આ પ્રકારના કાવતરા ધડાી રહ્યા હોય છે જેમાં નેતાઓને નિશાન બનાવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code