ઉત્તરપ્રદેશઃ 1 બાળક હશે તો મળશે રાહત નહી તો આવશે આફત, વસ્તીનિયંત્રણને લઈને યોગી સરકારનો નવો ફોર્મ્યૂલા
- યોગી સરકારનો વસ્તી નિયંત્રણને લઈને નવો ફોર્મ્યૂલા
- એક બાળક હશે તો રાહત નહી તો માતા-પિતા માટે બનશે આફત
લખનૌઃ- દેશભરમાં વસ્તી નિયંત્રણને લઈને અનેક જનજાગૃતિના અભિયાનો ચલાવવામાં આવતા હોય છે,ત્યારે હવે વસ્તી નિયંત્રણને લઈને ઉત્તરપ્રદેશ સરકાર કંઈ નવું કરવા જઈ રહી છે, યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદા અંગે એક સૂત્ર તૈયાર કર્યુ છે, જે અંતર્ગત, જેમની પાસે બે કરતા વધારે બાળકો છે તેઓ ન તો સરકારી નોકરી માટે પાત્ર બનશે અને ન તો તેઓ ચૂંટણી લડી શકશે.
ઉત્તર પ્રદેશના રાજ્ય કાયદા પંચે ભલામણ કરી છે કે એક બાળકની નીતિ અપનાવતા માતા-પિતાને અનેક પ્રકારની સુવિધાઓ આપવી જોઈએ, જ્યારે બે કરતા વધારે બાળકોના માતા-પિતાને સરકારી નોકરીથી વંચિતરાખવામાં આવે એટલું જ નહીં, આ ઠરાવમાં અનેક પ્રતિબંધોની ભલામણ પણ કરવામાં આવી છે, જેમાં તેમને સ્થાનિક બોડીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ઉત્તર પ્રદેશ રાજ્ય કાયદા પંચે વસ્તી નિયંત્રણ અધિનિયમનો ફઓર્મ્યૂલા બનાવ્યો છે. જે મામલે કમિશને લોકો પાસેથી વાંધા અને સૂચનો પણ માંગ્યા છે, જે જુલાઈ 19 સુધીમાં ઈ-મેલ દ્વારા અથવા ટપાલ દ્વારા કમિશનને મોકલવા જણાવાયું છે. જો યોગી સરકાર આ ફોર્મ્યુલાને લીલી ઝંડી આપે છે, તો તે યુપીમાં વસ્તી નિયંત્રણ તરફનું મોટું પગલું માનવામાં આવશે.
વન ચાઇલ્ડ પોલિસી સ્વીકારનારા બીપીએલ કેટેગરીના માતાપિતાને વિશેષ પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રથમ પુત્રના જન્મ પછી ઓપરેશન કરાવનારા માતા-પિતાને ઘણી સુવિધાઓ આપવામાં આવશે. જો પ્રથમ બાળક છોકરો હોય તો 80 હજાર રૂપિયા અને બાળકી હશે તો તે માતાને એક લાખ રૂપિયા આપવામાં આવશે. આવા માતા-પિતાની પુત્રી ઉચ્ચ શિક્ષણ સુધી નિ: શુલ્ક અભ્યાસ પણ કરી શકશે, જ્યારે પુત્ર 20 વર્ષ સુધી નિ: શુલ્ક શિક્ષણ મેળવવાને પાત્ર બનશે.