ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે કાવડ સંઘો સાથે યોજેલી બેઠક બાદ કાવડ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો
- યોગી સરકારનો મહત્વનો નિર્ણય
- કોરોનાની સ્થિતિને જોતા કાવડયાત્રા રદ કરી
- આ પહેલા કોર્ટે પણ યાત્રા ન યોજવા જણાવ્યું હતું
લખનૌઃ- છેલ્લા કેટલાક દિવસોથી કાવડ યાત્રાને લઈને અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે હવે યાત્રાને લઈને યુપી સરકારે કાવડ યુનિયનો સાથે વાતચીત કર્યા બાદ મહત્વનો નિર્ણય લીધો છે.જે મુજબ આ વર્ષે પણ કોરોનાને ધ્યાનમાં લેતા કાવડ યાત્રા યોજાશે નહી.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસો કેટાક રાજ્યોમાં હાલ પણ જોવા મળે છે,આ વર્ષે યોજાનારી કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને વધારાના ઉપ સચિવ ગૃહ અવનિશ અવસ્થિ અને પોલીસ મહાનિદેશક મુકુલ ગોયલને પણ આ મામલે અન્ય રાજ્યો સાથે વાતચીત કરવા નિર્દેશ આપ્યો હતો.
સમગ્ર દેશમાં કોરોનાના કારણે વિતેલા વર્ષ દરમિયાન પણ કાવડ સંઘો સાથેની વાતાઘટો બાદ આ યાત્રા યોજાઈ નહોતી,. આ વખતે પણ સરકારે યુનિયનની સંમતિથી જ આ નિર્ણય લીધો છે. જોકે, યુપી સરકાર ઇચ્છતી હતી કે આ વખતે કાવડ યાત્રા પર પ્રતિબંધ ન લાગે,જો કે જ્યારે યોગી સરકારે પ્રતિબંઘ નહોતો લગાવ્યો ત્યારે અનેક લોકોએ સવાલો પણ ઉભા કર્યા હતા. ત્યારે હવે દરેક રાજ્યોમાંથી આવકા કાવડયાત્રીઓ પર સરકારે રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
આ દરમિયાન યુપી સરકારે કાવડ યાત્રા માટે મંજૂરી આપી દીધી હતી, જેના આધારે સુપ્રીમ કોર્ટે સુમો મોટોના આધારે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી હતી અને તેને જુલાઈ 19 સુધીમાં કાવડ યાત્રા અંગે જવાબહાદજર કરવા કહ્યુ હતું.
આ સમગ્ર બાબતને લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, એક વાત સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે કોવિડને ધ્યાનમાં રાખીને, અમે ઉત્તરપ્રદેશ સરકારને 100 ટકા લોકોની ઉપસ્થિતિ સાથે કાવડ યાત્રાનું આયોજન કરવાની મંજૂરી આપી શકીએ નહી . આપણે બધા ભારતના નાગરિક છીએ. આ સુઓ મોટુ કેસ એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે આર્ટિકલ 21 આપણા બધાને લાગુ પડે છે. આ આપણા બધાની સલામતી માટે છે.