1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ ઉદયપુર વચ્ચે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે
અમદાવાદ ઉદયપુર વચ્ચે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે

અમદાવાદ ઉદયપુર વચ્ચે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ જામનગર-અમદાવાદ વચ્ચે તાજેતરમાં વંદે ભારત ટ્રેન શરૂ કરાયા બાદ હવે અમદાવાદ-ઉદેપુર વચ્ચે પણ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે. હાલ અમદાવાદ-ઉદેપુર બ્રોડગેજ લાઈન પર ઈલેક્ટ્રિક ફિકેસનનું કામ ચાલી રહ્યું છે. આ કામ દોઢ મહિનામાં પુરૂ થવાની શક્યતા છે. કામ પુરૂ થતાં જ વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનથી ઉત્તર ગુજરાતને પણ લાભ મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી ઉદયપુર જવા માટે હવે આગામી ઉત્તરાયણ બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવી ભેટ ઉત્તર અને મધ્ય ગુજરાતના પ્રવાસીઓને મળી શકે છે. આ માટે રેલવેએ કામની ઝડપ વધારી દીધી છે. આગામી ડીસેમ્બર માસના અંત સુધીમાં અમદાવાદથી ઉદયપુર બ્રોડગેજ રેલવે લાઈનને ઇલેક્ટ્રિફાઇડ કરી દેવાશે. આ માટે બ્રોડગેજ ટ્રેક પર વીજ લાઈન નાંખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી ડીસેમ્બર માસના અંત સુધીમાં ટ્રેક ઇલેક્ટ્રિફાઇડ થઈ જાય એવી શક્યતાઓ છે. રેલવેએ આપેલા કાર્યનુ કામ અધિકારીઓની દેખરેખ હેઠળ ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇલેક્ટ્રિફાઇડ લાઈન થઈ ગયા બાદ ઉદયપુર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ કરવાનુ સપનુ સાકાર થઈ શકે છે. અરવલ્લી અને સાબરકાંઠામાં થઈને પસાર થતી રેલવેની સુવિધા વધુ સારી બનશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં અમદાવાદના અસારવાથી વાયા હિંમતનગર, ડુંગરપુર, ઉદયપુર બ્રોડગેજ રેલવે લાઈન પર ડીઝલ એન્જીન ધરાવતી ટ્રેન દોડી રહી છે. ઉદયપુર, ચિત્તોડગઢ અને ઉજ્જૈન રુટની રેલવે ટ્રેનમાં મુસાફરોનો ધસારો હાલમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ઇલેક્ટ્રિફાઇડ લાઈન શરુ થઈ જતા વર્ષ 2024થી ડીઝલ એન્જિનને બદલે વીજળીથી ચાલતી ટ્રેન દોડવા લાગશે. જેમાં ગતિ વધવા સાથે સમયની પણ બચત થશે. અસારવાથી વાયા હિંમતનગર થઈને ઉદયપુર રેલવે લાઈન ઇલેક્ટ્રિફાઇડ થવાની સાથે જ હવે વંદે ભારત ટ્રેનનુ સપનુ પણ સાકાર થઈ શકે છે. આગામી ઉત્તરાયણના તહેવારો દરમિયાન વીજળીથી ચાલતી ટ્રેનની શરુઆત આ ટ્રેક પર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. હાલમાં હિંમતનગરથી અમદાવાદના અસારવા વચ્ચેની રેલવે લાઈન પર ઈલેક્ટ્રિક ફિકેસનનું કાર્ય ચાલી રહ્યુ છે. લાઈન પર મોટે ભાગે થાંભલાઓ લાગી ચૂક્યા છે. આ બંને સ્થળ વચ્ચેના 86 કિલોમીટરની રેલવે લાઈન પરનુ કાર્ય ડીસેમ્બરના અંતમાં સમાપ્ત કરવામાં આવશે. આ કામ માટે 45 કરોડ રુપિયાનો ખર્ચ થશે. તલોદમાં આ માટે એક વીજ સ્ટેશન પણ સ્થાપવામાં આવી રહ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code