1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. ગાયત્રી મંત્ર કરવાનો શું છે યોગ્ય સમય? જાણો કેટલી વાર કરવા જોઈએ જાપ અને શું થશે લાભ..?
ગાયત્રી મંત્ર કરવાનો શું છે યોગ્ય સમય? જાણો કેટલી વાર કરવા જોઈએ જાપ અને શું થશે લાભ..?

ગાયત્રી મંત્ર કરવાનો શું છે યોગ્ય સમય? જાણો કેટલી વાર કરવા જોઈએ જાપ અને શું થશે લાભ..?

0
Social Share

ગાયત્રી મંત્ર હિંદુ ધર્મમાં સૌથી પ્રસિદ્ધ  અને પ્રાચીન મંત્રોમાંથી એક છે. મંત્ર જાપ ધ્યાન માટે એક બેહદ મહત્વના માનવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ દૈનિક અભ્યાસ તરીકે પણ કરી શકાય છે. ખાસ કરીને જ્યારે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ ઊર્જાની જરૂરત હોય છે. આ મંત્ર ઋગ્વેદથી વર્ણિત તમામ વૈદિક મંત્રોનો સાર માનવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને સ્કૂલો અને વિદ્યાલયોની જરૂરત હોય છે. આ મંત્ર ઋગ્વેદમાંથી વર્ણિત તમામ વૈદિક મંત્રોનો સાર ગણાય છે. ભારતમાં ખાસ કરીને સ્કૂલો અને વિદ્યાલયોમાં સવારની સભાઓમાં ગાયત્રી મંત્રને સામેલ કરવો બેહદ જરૂરી માનવામાં આવ્યો છે. ગાયત્રી મંત્રના ત્રણ પરંપરાગત ભાગ માનવામાં આવે છે- સૂર્ય નમસ્કાર, શુભ આશિર્વાદ અને સાર્વભૌમિક સત્યની અભિવ્યક્તિ.

ગાયત્રી મંત્ર –  ॐ भूर् भुवः स्वः तत् सवितुर् वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्||

ગાયત્રી મંત્રને એક સાર્વભૌમિક પ્રાર્થના માનવામાં આવે છે. આ મંત્ર આધ્યાત્મિક વિકાસ અને જ્ઞાનને પ્રોત્સાહિત કરે છે. એવું માનવામાં આવએ છે કે તેના દરરોજ જાપ કરવાથી ભૌતિક પ્રગતિ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. આ મંત્ર જાપથી વ્યક્તિગત પરિવર્તન પણ જોવા મળે છે અને તમામ પ્રયાસોમાં સફળતા મળે છે. ગાયત્રી મંત્રના જાપ તમારા જીવનની વિપરીત પરિસ્થિતિઓને બદલવાની શક્તિ પ્રદાન કરી શકે છે.

હિંદુ ધર્મમાં ગાયત્રી મંત્ર સૌથી પૂજનીય અને પવિત્ર મંત્ર માનવામાં આવ્યો છે. આ મંત્ર વ્યક્તિના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે બેહદ શક્તિશાળી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ મંત્રના જાપથી કોઈપણ ઈચ્છાની પૂર્તિ થઈ શકે છે અને જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. ગાયત્રી મંત્રને તમામ મંત્રોની જનની પણ કહેવામાં આવે છે અને તેના જાપ કરવાથી ઘણાં પ્રકારના લાભ મળી શકે છે. આ શક્તિશાળી મંત્ર જાપ કરવાથી ધન, આરોગ્ય, નોકરી વગેરે પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે.

ગાયત્રી મંત્ર ઋગ્વેદનો એક શ્લોક છે, જે સૌથી જૂના ગ્રંથોમાંથી એક છે. આ જાપ મનુષ્યને યોગ્ય માર્ગે ચાલવા, વધારે સ્પષ્ટ અને કેન્દ્રીત થવામાં મદદ કરે છે. માનવામાં આવે છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આધ્યાત્મિક ઊર્જાને જાગૃત કરવામાં મદદ મળે છે. તેના સિવાય એવું કહેવામાં આવે છે કે ગાયત્રી મંત્રના જાપ માત્ર મનુષ્યને શુદ્ધ કરવાનું જ કામ કરતા નથી, પરતું તેની સાથે જ વ્યક્તિની ચારે તરફ સકારાત્મક ઊર્જા પણ ફેલાવે છે. તેની સાથે એ પણ ધ્યાન રાખે છે કે તેનું શ્રદ્ધાપૂર્વક અને યોગ્ય ઉચ્ચારણ કરીને જાપ કરવા પર જ તેનો પુરો લાભ મળી શકે છે.

કેટલી વાર કરવા જોઈએ ગાયત્રી મંત્રના જાપ ?

ગાયત્રી મંત્રનો જાપ જેટલી પણ વાર કરવો હોય તેટલી વાર કરી શકાય છે. ગાયત્રી મંત્રને કેટલીવાર જપવો, તે વ્યક્તિ અને તેની જરૂરિયાતો પર નિર્ભર કરે છે. કેટલાક લોકો આ મંત્રના જાપ દરરોજ કેટલીક નિશ્ચિત સંખ્યામાં કરતા હોય છે, તો કેટલાક લોકો દિવસમાં માત્ર એક જ વાર તેનો જાપ કરે છે. ગાયત્રી મંત્રનો જાપ કોઈપણ સમયે કરી શકાય છે. પરંતુ તેના જાપ સવારે કરવા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કોને સમર્પિત છે ગાયત્રી મંત્ર ?

ગાયત્રી મંત્ર સૃષ્ટિમાં સ્ત્રી શક્તિને સમર્પિત છે. તેને આદિશક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે, જે સંપૂર્ણ સૃષ્ટિની જનની છે. એવું માનવામાં આવે છે કે તે કોઈ દેવી નથી, પરંતુ બ્રહ્માંડીય ઊર્જાના કણ-કણમાં અસ્તિત્વ ધરાવે છે. જો તમે તેનો મહત્તમ લાભ ચાહો છો, તો દરરોજના ઓછામાં ઓછા 108 મંત્રોનો જાપ કરવો જોઈએ. જો તમે એકવારમાં આટલા મંત્રોના જાપ નથી કરી શકતા, તો તમે દશ અથવા પાંચ મંત્રોથી તેની શરૂઆત કરીને ધીરેધીરે તેની સંખ્યા વધારી શકો છો.

ગાયત્રી મંત્ર જાપ માટે યોગ્ય સમય ક્યો છે?

ગાયત્રી મંત્રને સવારે-સવારે ખાસ કરીને બ્રહ્મમુહૂર્ત દરમિયાન તેનો જાપ કરવો સૌથી સારો માનવામાં આવે છે. તે દરમિયાન ગાયત્રી મંત્રના જાપ કરવાથી તેની શક્તિ અને પ્રભાવશીલતા વધી જાય છે. તેની સાથે સવારના સમયે શાંત વાતાવરણ લોકોને પોતાના અને પરામાત્મા સાથેના ગાઢ સંબંધોમાં મદદ કરે છે. માટે સવારે તેનો જાપ કરવો સૌથી ઉત્તમ ગણાવાયું છે.

ગાયત્રી મંત્રના જાપથી ઉત્પન્ન શક્તિશાળી ઊર્જા વ્યક્તિ અને તેની આસપાસના વાતાવરણમાં ફેલાય છે, જે શરીર, મન અને આત્માને સક્રિય કરે છે. આ મંત્રના જાપ કરવાથી જે કંપન થાય છે અ જે ઊર્જા નીકળે છે, તે શરીરની અંદર સૂક્ષ્મ અથવા નાડીઓને શુદ્ધ કરવામાં મદદ કરે ચે. એવું કહેવામાં આવે છે કે જે લોકો સવારે આ જાપ કરે છે, તે વધારે જાગરૂક હોય છે. ગાયત્રી મંત્રનો જાપ આખો દિવસ મનને કામકાજ પર ફોક્સ, એકાગ્રતા અને માનસિક સ્પષ્ટતાઓને વધારવામાં પણ કામ કરે છે.

સ્ટૂડન્ટ્સ માટે ગાયત્રી મંત્રના લાભ-

વિદ્યાર્થીઓ માટે પણ ગાયત્રી મંત્રના જાપ કરવા ઉત્તમ છે. આ તેમને અભ્યાસમાં સ્પષ્ટતા, ફોક્સ અને બુદ્ધિમત્તામાં મદદ કરે છે. પરીક્ષા દરમિયાન ગાયત્રી મંત્રના જાપ કરવાથી એકાગ્રસતા વધે છે. મંત્રના કંપનથી ઉત્પન્ન સકારાત્મક ઊર્જા વિદ્યાર્થીનો અભ્યાસ અને યાદ રાખવાની ક્ષમતા વધે છે.

સવારે ગાયત્રી મંત્ર કરવાના ફાયદા-

આધ્યાત્મિક વિકાસ-

ગાયત્રી મંત્ર સૂર્ય દેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સવારે તેના જાપ કરવાથી આધ્યાત્મિક જાગૃતિ અને વિકાસ થાય છે. સવારના સમયે તેને જપવાથી દિવસની શરૂઆત આધ્યાત્મિક રીતે સમૃદ્ધિ થાય છે.

અનુશાસનને પ્રોત્સાહિત કરે-

સવારની સભાઓ દરમિયાન સામુહિક સ્વરૂપે આ મંત્રના જાપ કરવાથી વિદ્યાર્થીઓમાં અનુશાસન, એકાગ્રતા અને સમયની શિસ્તની ભવાના વધારે છે.

 

માનસિક સ્પષ્ટતા-

માનવામાં આવે છે કે ગાયત્રી મંત્રા જાપ કરવાથી ઉત્પન્ન કંપન શરીરમાં ચક્રોને ઉત્તેજિત કરે છે, જે માનસિક સ્પષ્ટતા અને ધ્યાન કેન્દ્રીત  કરવાની ક્ષમતાઓને વધારી શકે છે.

શાંતિ પ્રદાન કરવી-

ગાયત્રી મંત્રની સાથે દિવસની શરૂઆત કરવાથી માનસિક અને શારીરિક શાંતિની ભાવના પેદા થઈ છે, જેનાથી બાકી દિવસ માટે સકારાત્મક માહોલ તૈયાર થાય છે.

શારીરિક લાભ-

આ મંત્રના જાપ દરમિયાન લયબદ્ધ શ્વાસ લેવાથી સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે, જેનાથી શ્વસન ક્રિયામાં સુધાર અને ફેંફસાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code