મોરબી દુર્ઘટના અંગે ભાજપની સરકારે માફી કેમ માગી નથી, કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમનો પ્રહારો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્યમાં વેગ આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરમાં ગુજરાતની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીના કેજરિવાલ અને કોંગ્રેસના રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાણામંત્રી પીં. ચિદમ્બરમ ગુજરાતની મુલાકાતે છે, દરમિયાન પી. ચિદમ્બરે ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટના અંગે ભાજપની સરકારે હજુ માફી માગી નથી. કે આ ઘટનાની જવાબદીરી પણ પોતે સ્વીકારી નથી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સત્તા મેળવવા રાજકીય પક્ષોએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી દીધી છે. જ્યારે ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન ચાલી રહ્યુ છે. જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી દોડી ગયા છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો સૌરાષ્ટ્રમાં રોડ શોનું આયોજન કરાયુ છે. દરમિયાવ કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે અમદાવાદમાં મીડિયા સમક્ષ ભાજપ સામે પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટના અંગે સરકારે માફી માગી નથી, હું આશા રાખું છું કે હાઈકોર્ટ મુદ્દા ઉઠાવે.
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે મીડિયા સમક્ષ મોરબી દુર્ઘટનાને લઈને સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં કોઈ અધિકારી કે સરકારે માફી માગી નથી. હું આશા રાખું છું કે હાઈકોર્ટ મુદ્દાઓ ઉઠાવે. આ ઘટનાની જવાબદારી પણ કોઈએ લીધી નથી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો છે. મારી ગુજરાતની જનતાને અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો. અહીં અશિક્ષિત યુવાનો અને ઓછું ભણેલા યુવાનો બેરોજગાર છે.તેમણે અર્થતંત્રની વાત કરતાં કહ્યું હતું કે, દેશમાં મંદી નહીં આવે પણ વિકાસ ધીમો પડશે. બહારથી આવનારા રોકાણો ઘટશે. રૂપિયાના અવમૂલ્યનને કારણે વપરાશ ઘટશે. માત્ર પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ આ મુદ્દે દેશને બચાવી શકશે. હવે સરકાર આમાં શું કરે છે એ જોવાનું છે.