1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહિલાને દુર્લભ બિમારીથી મળ્યો છુટકારો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહિલાને દુર્લભ બિમારીથી મળ્યો છુટકારો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહિલાને દુર્લભ બિમારીથી મળ્યો છુટકારો

0
Social Share

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે 32 વર્ષના તન્વીબેનને થયેલી દુર્લભ બિમારીની જટિલ સારવારમાં સફળતા મેળવી છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેતા તન્વીબેનને લાંબા સમયથી મણકાની તકલીફના કારણે હલન-ચલનમાં અને સૂવામાં તકલીફ પડી રહી હતી. તન્વીબેનના બે મણકા એકબીજા સાથે ચોટી જવાથી તેમનું શરીર આગળના ભાગે વળવા લાગ્યું હતું.

તેમના પતિએ આ સમસ્યાના નિવારણ માટે ઘણી ખાનગી હોસ્પિટલના સંપર્ક કર્યા હતા પરંતુ ક્યાંય સંતોષકારક જવાબ મળ્યો નહીં. કેટલીક જગ્યાએ સર્જરીની ખાતરી આપવામાં આવી તો નાણાનો પ્રશ્ન ઉભો થયો હતો. આ પ્રકારની સર્જરી અત્યંત જટીલ અને 3 લાખ જેટલી ખર્ચાળ હોવાથી તન્વીબેનના પરીવાર માટે તે અશક્ય બની રહ્યું હતુ.

દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મહિલા દાખલ થયા હતા, જ્યાં X-RAY, MRI તથા CT SCAN સહિતના ટેસ્ટ કરતાં જાણવા મળ્યું કે તન્વીબેનને અંકાયલોસિંગ સ્પોન્ડાયલોસીસ નામની ગંભીર અને દુર્લભ બિમારી છે. 3 કલાકની સર્જરી બાદ અંતે 66 ડિગ્રી જેટલો આગળની તરફ વળી ગયેલો કમરનો ભાગ હવે 11 ડિગ્રી સાથે સામાન્ય બન્યો. હાલ તન્વીબેન સરળતાપૂર્વક હલન-ચલન કરી શકે છે. સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પરિશ્રમ ના કારણે મારા લાંબા સમયની પીડાનો અંત આવ્યો છે.

તેઓએ જણાવ્યું કે, સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન કાર્ડના કારણે જ મારી સર્જરી થઇ શકી છે. અમારા ગરીબ પરિવાર માટે 2 થી 3 લાખના ખર્ચે સર્જરી કરાવવું અસંભવ જ હતુ. જે માટે અમારો પરિવાર સરકારનો હરહંમેશ આભારી રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code