Homeગુજરાતીકર્ણાટકમાં મંત્રીઓના શપથ સમારોહમાં આપને ન મળ્યું આમંત્રણ, બીજેપી આપ પર સાધ્યું...

કર્ણાટકમાં મંત્રીઓના શપથ સમારોહમાં આપને ન મળ્યું આમંત્રણ, બીજેપી આપ પર સાધ્યું નિશાન કહ્યું કોંગ્રેસ આપને આ લાયક પણ નથી ગણતી

  • શપથ સમારોહમાં આપને ન મળ્યું આમંત્રણ
  • ભાજપે આપ પર સાધ્યું નિશાન
  • કહ્યુું કોંગ્રેસ આપને આ લાયક પણ નથી ગણતી

દિલ્હીઃ આજે કર્ણટાક રાજ્યમાં કોંગ્રેસના મંત્રીઓનો શપથ સમારોહ યોજાયો હતો જો કે આ સમારોહમાં કોંગ્રેસ દ્રારા આમ આદમી પાર્ટીના કોી નેતાઓને આમંત્રણ આપવામાં નહોચું આવ્યું આ બબાતે ભારતીય જનતા પાર્ટીએ આપ પર કટક્ષા કર્યો હતો.

જાણકારી પ્રમાણે આજે સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ માટે 22 વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં સપા, આરજેડી, શિવસેના અને તૃણમૂલ કોંગ્રેસ જેવા તમામ મોટા પક્ષો સામેલ છે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી આ અતિ મહત્વના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલને આમંત્રણ મોકલ્યું નથી. તેમાં આમ આદમી પાર્ટીની ભારત રાષ્ટ્ર સમિતિ અને કેસીઆર પણ સામેલ છે.

ભાજપે આમ આદમી પાર્ટીને આમંત્રણ ન આપવા પર કટાક્ષ કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે કોંગ્રેસ અરવિંદ કેજરીવાલને કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે પણ લાયક સમજતી નથી. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી જે પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમાં મુખ્યત્વે એવા પક્ષોનો સમાવેશ થાય છે જે કોંગ્રેસ સાથે સીધી સ્પર્ધામાં છે.

કોંગ્રેસની જમીન છીનવીને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પોતાની જમીન બનાવી લીધી છે. પંજાબમાં પણ આ જ વાર્તાનું પુનરાવર્તન થયું. આમ આદમી પાર્ટીએ ગુજરાત અને ગોવામાં પણ કોંગ્રેસના મતોનું વિભાજન કર્યું, જેનાથી પાર્ટી નબળી પડી અને સીધો ફાયદો ભાજપને થયો. ત્યારે આમ આદમી પાર્ટીને આમંત્રણ ન મળતા બીજેપીને આપ પર નિશાન સાધવાની તક મળી છે.

સંબંધિત લેખો

Most Popular