1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં ગુરૂવારે યોજાનારા પીએમના કાર્યક્રમમાં 1300 એસટી બસો જનતા માટે દોડાવાશે
રાજકોટમાં ગુરૂવારે યોજાનારા પીએમના કાર્યક્રમમાં 1300 એસટી બસો જનતા માટે દોડાવાશે

રાજકોટમાં ગુરૂવારે યોજાનારા પીએમના કાર્યક્રમમાં 1300 એસટી બસો જનતા માટે દોડાવાશે

0
Social Share

રાજકોટઃ શહેર નજીક હીરાસર એરપોર્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 27મી જુલાઈને ગુરૂવારે આવી રહ્યા છે. એરપોર્ટના લોકાર્પણ બાદ વડાપ્રધાન જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં જનતાને આવવા માટે એસટીની 1300 બસ દોડાવવામાં આવશે. શહેર અને જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીની સભામાં ઉમટી પડશે

રાજકોટ એસ ટી ડિવિઝનના સૂત્રોના કહેવા મુજબ વડાપ્રધાનના કાર્યક્રમમાં એસ ટી નિગમની 1300 બસોને દોડાવવામાં આવશે. એસ ટી નિગમના તમામ ડિવિઝનમાંથી બસોનો ઉપયોગ કરવામાં આવશે. જોકે મોટાભાગની એસટીબસ વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવવામાં આવશે. તેના લીધે અનેક બસ રૂટ્સ કેન્સલ કરવા પડશે. તેથી વિદ્યાર્થીઓ અને ડેઇલી અપડાઉન કરતા કર્મચારીઓ સહિત મુસાફરોને હાલાકી પડશે. રાજકોટ ડિવિઝનના તમામ ડેપોમાંથી એસટી બસો ફાળવવામાં આવી છે. ઉપરાંત એસ ટી નિગમે તેના 12 વિભાગીય નિયામકોને પોતાના તાબાના ડેપોમાંથી બસો ફાળવવાનો આદેશ કર્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવામાં આવનારી એસટી બસોની જીપીએસ સિસ્ટમ 100 ટકા કાર્યરત રહે તેવી બસોને ફાળવવાની રહેશે. ઉપરાંત પોતાના વિભાગની એક્સપ્રેસ બસોના રૂટો રદ થાય નહી તે રીતે બસો ફાળવવાની રહેશે. વધુમાં મુસાફરોને અગવડતા પડે નહી તે રીતે કર્મચારીઓ તથા સુપરવાઇઝર સ્ટાફની ગેરહાજર રહે નહી તે રીતે મહત્તમ કર્મચારીઓને મોકલવાના રહેશે. લોકલ અને એક્સપ્રેસ રૂટોનું સંચાલન કરવાનું રહેશે.

વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવવામાં આવનારી એસટી બસો જરૂરી ફ્યુલીંગ ભરીને મોકલવાની રહેશે. એસ ટી બસના કર્મચારીઓને ફરજિયાત યુનિફોર્મમાં મોકલવાના રહેશે. વડાપ્રધાનનો કાર્યક્રમમાં ફાળવેલી બસોના ભાડાના બીલો કાર્યપાલક ઇજનેર સૌની યોજના વિભાગના નામે બનાવવાના રહેશે. સહિતની સુચના એસ ટી નિગમ દ્વારા આપવામાં આવી છે. જોકે વડાપ્રધાનનો કાર્યક્રમ ચાલુ દિવસે હોવાથી વિદ્યાર્થીઓ અને ડેઇલી અપડાઉન કરતા કર્મચારી સહિતના મુસાફરોને બસને લઇને હાલાકી પડવાનની શક્યતા રહેલી છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇ એસટીએ વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો હોવાથી ડેઇલી મુસાફરી કરતાં મુસાફરો સહિત વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. એસ ટી નિગમના તમામ ડિવિઝનમાંથી બસોનો ઉપયોગ કરવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code