1. Home
  2. ગુજરાતી
  3. કેરળમાં 70 વર્ષીય પાદરીએ 3 સગીરાઓની કરી શારીરિક સતામણી
કેરળમાં 70 વર્ષીય પાદરીએ 3 સગીરાઓની કરી શારીરિક સતામણી

કેરળમાં 70 વર્ષીય પાદરીએ 3 સગીરાઓની કરી શારીરિક સતામણી

0
Social Share
  • એક માસ પહેલા પાદરીએ ઘટનાને આપ્યો અંજામ, પોલીસ દ્વારા તપાસ
  • એફઆઈઆર નોંધાયા બાદથી પાદરી ગાયબ, પોક્સો એક્ટ હેઠળ નોંધાયો છે કેસ
  • આશિર્વાદ લેવા ગયેલી 9 વર્ષની બાળકીઓ સાથે છેડછાડ
  • ચર્ચમાં સેવા બાદ મળવા માટે ગઈ હતી બાળકીઓ
પ્રતીકાત્મક

કેરળના કોચ્ચિમાં 70 વર્ષીય એક પાદરી પર ત્રણ સગીર બાળકીઓ સાથે છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે શુક્રવારે કહ્યું છે કે આ ઘટના ગત મહીનાની છે, તે એર્નાકુલમના ચેંદામંગલમમાં જ્યારે ત્રણ બાળકીઓ પાદરીના ચર્ચ ખાતેના કાર્યાલયમાં તેના આશિર્વાદ લેવા માટે પહોંચી હતી. સીરિયન કેથલિક ચર્ચના પાદરી જોર્જ પદયટ્ટી કેસ નોંધાયા બાદથી જ ફરાર ચાલી રહ્યો છે.

વડક્કેકરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પ્રમાણે, આરોપી પાદરી પર પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ પ્રમાણે, આ ઘટના એક માસ પહેલા બની છે, જ્યારે નવ વર્ષની ત્રણ બાળકીઓ ચર્ચમાં પોતાની સેવાઓ બાદ પાદરીના આશિર્વાદ લેવા માટે તેના કાર્યાલયમાં ગઈ હતી.

સાઈરો-માલાબાર ચર્ચના એક સૂત્રનું કહેવું છે કે પાદરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેની સાથે જ તેને પોલીસની તપાસમાં મદદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે કે જેથી સચ્ચાઈ સામે આવી શકે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code