1. Home
  2. ગુજરાતી
  3. બિહારમાં 75 ટકા અનામતનો લાભ મળશે, નીતિશ કુમાર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

બિહારમાં 75 ટકા અનામતનો લાભ મળશે, નીતિશ કુમાર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

0
Social Share

પટણાઃ બિહારની જનતાને હવે 75 ટકા અનામતનો લાભ મળશે. બિહારની નીતીશ કુમારની સરકારે આ અંગે એક ગેઝેટ પ્રકાશિત કર્યું છે. એટલે કે હવેથી અનુસૂચિત જાતિ/જનજાતિ, EBC અને OBCને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 75 ટકા અનામતનો લાભ મળશે. મંગળવારથી તેનો અમલ કરવામાં આવ્યો છે. બિહાર સરકારે અનામત મર્યાદામાં 15 ટકાનો વધારો કર્યો છે.

બિહાર સરકારે વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન અનામત સંશોધન બિલ 2023 રજૂ કર્યું હતું. તે 9 નવેમ્બરના રોજ બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. અનામતનો વ્યાપ વધારીને 75 ટકા કરવાની જોગવાઈ હતી. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે પણ આ બિલને સમર્થન આપ્યું હતું. દિલ્હીથી પરત ફરતાની સાથે જ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે આરક્ષણ બિલ-2023ને મંજૂરી આપી દીધી.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 7 નવેમ્બરે ગૃહમાં જાહેરાત કરી હતી કે, બિહારમાં અનામતનો વ્યાપ વિસ્તારવામાં આવશે. મુખ્યમંત્રીએ બિહારમાં 60 ટકા અનામતની વ્યવસ્થા વધારીને 75 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તરત જ નીતિશ કુમારે કેબિનેટની બેઠક બોલાવી હતી. અઢી કલાકમાં કેબિનેટે અનામતનો વ્યાપ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ પછી, 9 નવેમ્બરના રોજ બંને ગૃહો દ્વારા તેને પસાર કરવામાં આવ્યો હતો.

બિલ લાગુ થયા બાદ બિહારમાં SCને 20 ટકા અને STને 2 ટકા મળશે. અતિ પછાત વર્ગને 25 ટકા અને પછાત વર્ગને 18 ટકા અનામતનો લાભ મળશે. આ સાથે જ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ યથાવત રહેશે. સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં આ કેટેગરીના વિદ્યાર્થીઓને આનો લાભ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code