ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સરકારે એકરાર કર્યો હતો હતો કે ગુજરાતમાં સરકારી શાળાઓમાં 9 હાજરથી વધુ શાળાના ઓરડાની ઘટ છે. ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ ઓરડા નવા બનાવ્યા છે. પરંતુ હજુ પણ 9153 ઓરડાની ઘટ છે. આ ઉપરાંત રાજ્યના 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ હોવાનો પણ શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો હતો.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં સરકાર દ્વારા વિગતો આપવામાં આવી હતી જેમાં ગુજરાતમાં સરકારી શાળાઓમાં 9153 ઓરડાંની ઘટ છે. સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ ઓરડા નવા બનાવ્યા છે. પરંતુ હજુ પણ 9153 ઓરડાની ઘટ છે. આ ઉપરાંત ગુજરાતના 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 68 શિક્ષકની ઘટ, અમરેલી જિલ્લામાં 384 શિક્ષકોની ઘટ, રાજકોટ જિલ્લામાં 725 શિક્ષકોની ઘટ, નવસારી જિલ્લામાં 324 શિક્ષકોની ઘટ, નર્મદા જિલ્લામાં 333 શિક્ષકો અને વલસાડ જિલ્લામાં 387 શિક્ષકોની ઘટ હોવાનું શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું હતુ.
ગુજરાતની પ્રાથમિક શાળામાં 9153 ઓરડાની ઘટ હોવાથી વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. ત્યારે સવાલ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથળેલી હાલતમાં છે જ તેવામાં હવે ઓરડાની ઘટ હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ ઓરડા નવા બનાવ્યા છે. પરંતુ હજુ પણ 9 હજાર 153 ઓરડાની ઘટ છે. ઉપરાંત 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ છે. પ્રાથમિક શાળાઓમાં ઓરડા સહિતની માળખાકીય સુવિધાનો અભાવ છે. સરકારને પણ સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં રસ રહ્યો નથી. આ પરિસ્થિતિને કારણે ખાનગી શાળાઓમાં વાલીઓ નાછૂટકે વધુ ફી ચૂકવી બાળકોને ભણાવવા મજબૂર બન્યા છે.