1. Home
  2. ગુજરાતી
  3. દેશના 5 પ્રખ્યાત ગુરુદ્વારા,જ્યાં આધ્યાત્મિકતા સાથે સ્વાદિષ્ટ લંગરનો પણ આનંદ માણી શકો છો
દેશના 5 પ્રખ્યાત ગુરુદ્વારા,જ્યાં આધ્યાત્મિકતા સાથે સ્વાદિષ્ટ લંગરનો પણ આનંદ માણી શકો છો

દેશના 5 પ્રખ્યાત ગુરુદ્વારા,જ્યાં આધ્યાત્મિકતા સાથે સ્વાદિષ્ટ લંગરનો પણ આનંદ માણી શકો છો

0
Social Share
  • પાંચ લંગર જે લોકોને પુરુ પાડે છે ભોજન
  • કોરોનામાં ગરીબોની મદદે આવ્યા લંગર
  • લંગરની સાથે પૂજા પ્રાથના પણ થાય છે

કોરોના કાળમાં ઘરની બહાર નીકળવું સલામત નથી. એવામાં,ક્યાંય પણ જવાની યોજના કરવીએ જોખમી સાબિત થઇ શકે છે. પરંતુ કોરોનાનો કહેર ખત્મ થવા પર તમે આ ગુરુદ્વારોની મુલાકાત લઈ શકો છો. તો ચાલો જાણીએ આ 5 ગુરુદ્વારા વિશે. દેશમાં આવા ઘણા ગુરુદ્વારા છે જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. લોકો તેમની મુલાકાત લેવા દૂર-દૂરથી આવે છે. આ ગુરુદ્વારોની કોતરણી કોઈનું પણ હૃદય જીતી શકે છે.આ ગુરુદ્વારાઓમાં આધ્યાત્મિક શાંતિની સાથે પૂજા-પ્રાર્થના અને સ્વાદિષ્ટ લંગરનો પણ આનંદ માણી શકો છો

સુવર્ણ મંદિર

પંજાબના અમૃતસરમાં સ્થિત સુવર્ણ મંદિર દેશના એક પ્રખ્યાત ગુરુદ્વારાઓમાંનું એક છે. આ ગુરુદ્વારાને દરબાર સાહેબ અથવા શ્રી હરમંદિર સાહિબ પણ કહેવામાં આવે છે. સુવર્ણ મંદિરની મુલાકાત માટે લોકો દૂર-દૂરથી આવે છે. સુવર્ણ મંદિરનો લંગર દરરોજ લગભગ 50 હજાર લોકોની સેવા કરે છે. ખાસ પ્રસંગો પર આ સંખ્યા 1 લાખ પણ હોય છે. અહીંનો લંગર ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મોટી સંખ્યા હોવા છતાં ગુરુદ્વારામાં સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે.

ગુરુદ્વારા બંગલા સાહેબ

દિલ્હીમાં સ્થિત ગુરુદ્વારા બંગલા સાહેબને કારીગરો દ્વારા બનાવવામાં આવેલા જટિલ કોતરણીથી શણગારવામાં આવ્યા છે. અહીં ચા અને નાસ્તો 24 કલાક પીરસવામાં આવે છે. જ્યારે લંગર સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અને સાંજે 7.30 થી 11.00 વાગ્યા દરમિયાન પીરસવામાં આવે છે. લંગર દરરોજ આશરે 25 હજાર લોકોની સેવા કરે છે. ગુરુદ્વારામાં ઘી અને સુકા મેવાથી બનેલો પ્રસાદ પણ પીરસાય છે.

ગુરુદ્વારા મણિકરણ સાહેબ જી

મણિકરણ સાહેબ જી ગુરુદ્વારા કુલ્લુમાં આવેલું છે. આ ગુરુદ્વારા કુલ્લુ પર્વતો અને નદીના કાંઠે સુંદર નજારોની વચ્ચે છે. અહીં દરરોજ હજારો લોકો માટે લંગર પીરસવામાં આવે છે. આ લંગર ખૂબ જ સ્વાદિષ્ટ છે.

શ્રી હેમકુંડ સાહેબ ગુરુદ્વારા

શ્રી હેમકુંડ સાહેબ ગુરુદ્વારા ઉત્તરાખંડમાં સ્થિત છે. આ ગુરુદ્વારા બર્ફીલા પર્વતોથી ઘેરાયેલા છે. જે મનને અલગ રીતે શાંતિ આપે છે. આ ગુરુદ્વારામાં ચાની સાથે સ્વાદિષ્ટ લંગર પીરસવામાં આવે છે,અહીં ખીચડી અને શાક જેવા સરળ ભારતીય ભોજનથી મન પ્રસન્ન થાય છે.

તખ્ત શ્રી પટના સાહેબ પટના

તખ્ત શ્રી પટના સાહેબ પટનામાં સ્થિત છે. આ ગુરુદ્વારા શીખ ધર્મના સૌથી પ્રખ્યાત ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહનું જન્મસ્થળ છે. આ ગુરુદ્વારા પ્રાચીન આરસની બનેલું છે. જે ખૂબ જ સુંદર છે. લોકો માટે દરરોજ લંગર તૈયાર કરવામાં આવે છે. આધ્યાત્મિકતા સાથે સંકળાયેલા લોકો અહીં લંગરનો સ્વાદ લે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code