1. Home
  2. ગુજરાતી
  3. ઈજનેરીમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષા 6ઠ્ઠીઓગસ્ટે લેવાશે,70 ટકા કોર્ષના સિલેબર્સમાંથી પ્રશ્નો પૂછાશે
ઈજનેરીમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષા 6ઠ્ઠીઓગસ્ટે લેવાશે,70 ટકા કોર્ષના સિલેબર્સમાંથી પ્રશ્નો પૂછાશે

ઈજનેરીમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષા 6ઠ્ઠીઓગસ્ટે લેવાશે,70 ટકા કોર્ષના સિલેબર્સમાંથી પ્રશ્નો પૂછાશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા ધો.12ની શાળાઓ તથા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ ગયો છે. ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવામાં આવી રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની તારીખ પણ આજે જાહેર કરી છે. ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થતાં વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આગામી 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાનો સમય સવારે 10 થી સાંજે 4 વાગ્યાનો રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ,ફાર્મસી સહિતના અભ્યાસક્રમો માટે ગુજકેટ ફરજીયાત છે. રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ-એ,બી અને એ.બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 6 ઓગસ્ટ શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. સાથે જ જૂન-2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કૂલોમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનમ, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતના NCERTના પાઠ્યપુસ્તનો અમલ થશે. NCERT આધારિત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા ત્રીસ ટકા ઘટાડા બાદ નક્કી કરેલા 70 ટકાના અભ્યાસક્રમ પ્રવર્તમાન ગુજકેટની પરીક્ષા માટે રહેશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code